સરકારે અત્યાર સુધીમાં 3600 કરોડની 81 લાખ ક્વિન્ટલ મગફળી ખરીદી 

PC: hindi.news18.com

રાજ્યભરમાં ખેડૂતોને મગફળીના પૂરતા અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે ખાસ અભિયાન હાથ ધર્યું છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનાં સક્ષમ નેતૃત્વમાં રાજય સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવથી મગફળી ખરીદી કરવાનો સ્તુત્ય નિર્ણય કર્યો છે. વળી નાણાની ચૂકવણીમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે મગફળી વેચાણનાં નાણા સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આમ રાજ્ય સરકારે ખેડૂત હિતલક્ષી નિર્ણયની સાથે પારદર્શક વહીવટી તંત્રનો પરિચય આપ્યો છે.

રાજ્ય સરકારે ટેકાના ભાવની યોજના અંતર્ગત ખેડૂતોને મગફળીનાં પોષણક્ષમ અને પૂરતાં ભાવ મળી રહે તે માટે તા. ૨૫/૧૦/૨૦૧૭થી નાફેડ દ્વાર રાજ્યમાં ટેકાના ભાવથી વિવિધ કેન્દ્રો ખાતે મગફળીની ખરીદી કરવામાં આવી હતી. જેમાં ખેડૂતો પાસેથી ૮૦૮૭૦૭૧.૬૮ ક્વિન્ટલ મગફળીને ખરીદી કરવામાં આવી છે. જેનું મૂલ્ય રૂ. ૩૬૩૯.૧૮ કરોડ થાય છે.

રાજ્ય સરકારે ખેડૂતોને તેમની પરસેવાની કમાણીનાં નાણા ઓનલાઈન ચૂકવવા માટે પારદર્શી પધ્ધતિ અપનાવી છે. ખેડૂતો પાસેથી ખરીદાયેલી મગફળીનાં ચૂકવવામાં આવતા નાણા સીધા ખેડૂતોના બેન્ક ખાતામાં જમા કરવામાં આવે છે. અત્યાર સુધીમાં નાફેડ દ્વારા ખેડૂતોને રૂ. ૨૮૩૩.૬૪ કરોડ ચૂકવવામાં આવેલા છે.

આ ઉપરાંત ખેડૂતોને તેઓએ વેચેલ મગફળીના નાણા સમયસર ચૂકવાય તે માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.૪૧૬.૩૫ કરોડનું રીવોલ્વીંગ ફંડ પૂરું પાડવામાં આવેલ છે. જે ખેડૂતોએ ખરીદ કેન્દ્રો પર મગફળી વેચી છે. તેવા મોટાભાગના ખેડૂતોને તેમના નાણા ચૂકવવામાં આવેલા છે, તેમજ બાકી રહી ગયેલા ખેડૂતો માટે ચુકવણીની પ્રક્રિયા ચાલુ છે, તેમ ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp