31 માર્ચ સુધીમાં ખેડૂતો પૂરુ કરી લે આ કામ, નહિતર 3000 રૂપિયાનો ફાયદો નહિ મળે

PC: indiafilings.com

મોદી સરકારે બુધવારે કિસાન સમ્માન નિધિ સ્કીમનો લાભ લેવા માટે આધાર નંબરને લિંક કરવાની તારીખ 30 નવેમ્બર સુધી વધારી દીધી છે. કિશાન પેન્શન યોજનામાં જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, અસમ અને મેઘાલયમાં ખેડૂતો માર્ચ 2020 સુધીમાં આધાર અવેલેબલ કરાવી શકે છે.

કિસાન માનધન યોજના હેઠળ દેશભરમાં 17,84,341 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં જમ્મુ કાશ્મીરના 195 અને મેઘાલયમાંથી માત્ર 8 ખેડૂતો જ સામેલ છે. જ્યારે અસમમાં 4366 લોકોએ નોંધણી કરાવી છે.

આ સ્કીમનો લાભ લેવા માટે આધાર કાર્ડ અનિવાર્ય છે. પણ આ 4 રાજ્યો માટે આવું નથી. તેમને વિશેષ છૂટ આપવામાં આવી છે.

પણ માર્ચ 2020 સુધીમાં આ રાજ્યોએ પણ આધાર કાર્ડ આપવાનો રહેશે.

પ્રિમિયમ કેટલું:

આ યોજના હેઠળ 60 વર્ષની ઉંમરમાં 3000 રૂપિયાનું પેન્શન મળશે.જેનું ફંડ LIC મેનેજ કરશે. પેન્શન યોજના અંતર્ગત 12 કરોડ ખેડૂતો આવશે. 18 થી 40 વર્ષના જ ખેડૂતો આ સ્કીમ માટે માન્ય છે.તેમની ઉંમરના પ્રમાણે દર મહિને 55 થી લઈને 200 રૂપિયા સુધીનું પ્રિમિયમ આપવાનું રહેશે.

સરકાર મદદ કરશેઃ

આ યોજના હેઠળ જે રકમ ખેડૂત જમા કરશે તેટલી જ રકમ સરકાર પણ જમા કરશે. જો કોઈની ઉંમર 29 વર્ષની આસપાસ હોય તો તેને 100 રૂપિયા આપવાના રહેશે. તેનાથી ઓછી ઉંમર વાળા લોકોને ઓછા રૂપિયા આપવાના રહેશે અને તેનાથી વધારે ઉંમરના લોકોએ થોડા વધારે રૂપિયા આપવાના રહેશે. સરકારે આ યોજનાની મંજૂરી પહેલી કેબિનેટ બેઠકમાં આપી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp