કોંગ્રેસના ઉમેદવારે ખોટી સહી કરી હોય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી થાયઃ AAP
સુરત લોકસભામાં જે થયું છે તે પ્રકરણમાં કાનૂની કાર્યવાહીની માંગ સાથે 'આપ' પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાની આગેવાનીમાં 'આપ'ના ડેલીગેશને ચૂંટણી નિરીક્ષકની મુલાકાત લીધી હતી. મનોજ સોરઠિયાનું કહેવું છે કે જો કોંગ્રેસના ઉમેદવારે નકલી સહી સાથે નોમિનેશન ફોર્મ ભર્યું હોય, તો આવા બનાવટી દસ્તાવેજો સબમિટ કરવા એ શિક્ષાપાત્ર ગુનો છે. તેમણે કહ્યું