90 કલાક કામ કરવાના એલ એન્ડ ટી ચેરમેનના નિવેદનથી દીપિકા બગડી, કાઢી ઝાટકણી
ઇન્ફોસીસના સ્થાપક નારાયણ મૂર્તિએ ગયા વર્ષે સપ્તાહમાં 70 કલાક કામ કરવાની હિમાયત કરી હતી એ પછી ભારે વિવાદ ઉભો થયો હતો. હવે લાર્સન એન્ટ ટોબ્રોના ચેરમેન એસ એન. સુબ્રમણ્યમે કંપનીના કર્મચારીઓને સંબોધનમાં કહ્યું કે, ક્યાં સુઘી ઘરે પત્નીને નિહાળ્યા કરશો, તેના બદલે ઘરે ઓછો સમય અને વધારે સમય ઓફિસમાં આપો. સુબ્રમણ્યમે કહ્યું કે, મારું ચાલે તો હું રવિવારે પણ કર્મચારીઓ પાસે કામ લઉં.
એલ એન્ડ ટીના ચેરમેનના નિવેદન પછી સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. બોલિવુડ અભિનેત્રી દીપિકા પદુકાણે કહ્યું કે, આ વાત આઘાતજનક છે અને તે પણ સિનિયર પોઝિશન પર બેઠેલા વ્યકિત આવું બોલી રહ્યા છે. પાદુકોણે લખ્યું મેન્ટલ હેલ્થ મેટર્સ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp