ખ્યાતિ હોસ્પિટલ હતી કે કસાઇ ખાનુ? 3 વર્ષમાં 112 દર્દીને...

PC: Khabarchhe.com

ખ્યાતિ હોસ્પિટલના માલિક ડો, સંજય પટોડિયાની ક્રાઇમ બ્રાન્ચે 4 ડિસેમ્બરે ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ડો. સંજય પટોડીયાની પુછપરછમાં ચોંકાવનારી વાત સામે આવી છે.

અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચના  ACP ભરત પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, છેલ્લાં 3 વર્ષમાં ખ્યાતિ હોસ્પિટલામાં કુલ 8534 દર્દીઓએ સારવાર લીધી હતી અને તેમાંથી 3842 દર્દીઓએ આયુષ્માન યોજના હેઠળ સારવાર લીધેલી. 3 વર્ષમાં 112 દર્દીઓના મોત થયા છે. ખ્યાતિ હોસ્પિટલે આયુષ્યમાન યોજના હેઠળ 15 કરોડ ભેગા કરી દીધા છે.

PMJAYના અધિકારીઓ પણ શંકાના દાયરામાં છે અને પોલીસ એ તપાસ કરી રહી છે કે ક્યા ડોકટરે ખ્યાતિ હોસ્પિટલની PMJAY હેઠળ સૌથી વધારે ફાઇલ મંજૂર કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp