આસારામની 12 વર્ષ પછી અમદાવાદના આશ્રમમાં એન્ટ્રી, ભક્તોની ભીડ થવા માંડી

યૌન શોષણ કેસમાં આજીવન કેસની સજા કાપી રહેલા આસારામને કોર્ટે તબિયતના આધાર પર વચગાળાના જામીન આપ્યા છે અને આસારામ મંગળવારે અમદાવાદમાં મોટેરા આશ્રમમાં આવ્યો હતો. ત્યારે ભક્તોની ભીડ ભેગા થવા માંડતા પોલીસ ટેન્શનમાં આવી ગઇ હતી.

આસારામને કોર્ટે જામીન આપ્યા છે તેમાં કેટલીક શરતો રાખવામાં આવી છે. આસારામ તેના અનુયાયીઓને મળી શકશે નહી, સાધકો સાથે મુલાકાત કરી શકશે નહીં, મીડિયા સાથે વાતચીત કરી શકશે નહી અને આસારામની સાથે જે 3 પોલીસ ગાર્ડ રહેશે તેનો ખર્ચ આસારામે ચૂકવવો પડશે. આસારામને 31 માર્ચ 2025 સુધીના જામીન મળ્યા છે.

આસારામ જોધપુરની જેલમાં હતો ત્યારે તેને અનેક બિમારીઓ થઇ હતી અને કોર્ટને જામીન માટે અરજી કરી હતી. આસારામ આરોપી હોવા છતા ભક્તોને હજુ આસારામમાં આસ્થા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp