કાર અકસ્માતમાં લખતર તાલુકાના ભાજપ પ્રમુખનું મોત

PC: youtube.com

વિરમગામ સાણંદ હાઈ-વે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ ઘટનામાં 5 વ્યક્તિ ઘાયલ થયા હતા અને એક વ્યક્તિનું મોત થયું હતું. ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલ થયેલા લોકોને કારમાંથી બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. ઘટનામાં મૃત્યુ પામેલા ભાજપના નેતા હોવાનું સામે આવ્યું છે. 

એક રીપોર્ટ અનુસાર લખતર તાલુકાના ભાજપ પ્રમુખ અજીતર્સિંહ રાણા કોઈ કામ કાજ અર્થે વિરમગામ સાણંદ હાઈ-વે પરથી જતા હતા, તે દરમિયાન જખવાડા ગામ નજીક તેમની કારની સામેથી આવી રહેલી કાર સાથે ધડાકા ભેર અથડાઈ હતી. અકસ્માત થવાની ગામ લોકોને જાણ થતા લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને કારની બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. આ ઘટનાના લખતર તાલુકાના ભાજપ પ્રમુખ અજીતસિંહ રાણાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ અને સામેની કારમાં સવાર પાંચ લોકોને ઈજા થવા થવા પામી હતી. ઘટનાની જાણ સ્થાનિક લોકોએ પોલીસ અને 108ને કરવામાં આવતા પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યારબાદ અકસ્માતમાં ઘાયલ થયેલા પાંચ લોકોને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp