અધિકારીઓનું અણઘણ પ્લાનિંગ, બ્રિજ બનાવી દીધો, પરંતુ આગળ રસ્તો જ નથી

ગુજરાતના વિકાસ માટે અનેક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યા છે અને વિકાસ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થઇ રહ્યો છે. આ સારી વાત છે, પરંતુ કેટલાંક અધિકારીઓ અણઘણ પ્લાનીંગ કરીને પ્રજાને કરોડો રૂપિયા વેડફી નાંખે છે.
અમદાવાદમાં બોપલ-ઘુમાને જોડતો પુલ અમદવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી (AUDA)અને રેલવેએ 80 કરોડ રૂપિયાના ખર્ચે 16.5 મીટર પહોળો અને 900 મીટર લાંબો બ્રીજ બનાવી દીધો અને 80 ટકા કામ પુરુ થઇ ગયું. 5 વર્ષથી આ બ્રિજ બની રહ્યો હતો. હવે તમને જાણીને નવાઇ લાગશે કે શીલજ તરફ પુરો થતો રેલવે બ્રિજ પછી કોઇ રસ્તો જ નથી. અણઘણ અધિકારીઓએ જાણ્યા વગર જ બ્રિજ તાણી દીધો છે. બ્રીજના છેવાડે તો દિવાલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp