વડોદરાના PSIએ ગોળી મારીને કરી આત્મહત્યા, જાણો શું લખ્યું હતું સ્યૂસાઇડ નોટમાં

PC: Khabarchhe.com

વડોદરામાં એક PSI દ્વારા ગોળી મારી આત્મહત્યા કરવાની ઘટના સામે આવી છે. આપઘાત કરનાર PSIનું નામ સંજયસિંહ જાડેજા હતું અને તે વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. આ મામલે સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર સયાજીગંજ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલી અલ્કાપૂરી પોલીસ ચોકીમાં PSI સંજયસિંહ જાડેજાએ વહેલી સવારે પોતાની સર્વિસ રિવોલ્વરથી પોતાના માથાના ભાગે ફાયરિંગ કરીને આપઘાત કર્યો હતો. જ્યારે સવારે પોલીસ ચોકીની સફાઈ કરવા માટે એક વ્યક્તિ આવ્યો ત્યારે તે સફાઈ કામદારને સમગ્ર ઘટના બાબતે જાણ થઈ હતી. સફાઈ કામદારે પોલીસ વિભાગને આ ઘટના બાબતે જણાવ્યું હતું. પોલીસ કંટ્રોલમાં PSIના આપઘાતની ઘટનાની જાણ થતા વડોદરા પોલીસ કમિશનર સહિત તમામ પોલીસ ઉચ્ચ અધિકારી અલ્કાપૂરી પોલીસ ચોકીએ પહોંચ્યા હતા.

આ મામલે પોલીસે પોલીસ ચોકીમાં તપાસ કરતા પોલીસને ઘટના સ્થળેથી PSI સંજયસિંહ જાડેજાની એક ડાયરી મળી હતી આવી હતી. આ ડાયરીમાં સંજયસિંહ જાડેજાએ સુસાઈડ નોટ લખી હતી. આ સુસાઈડ નોટમાં PSI સંજયસિંહ જાડેજા દ્વારા લખવામાં આવ્યું હતુ કે, 'PSIની નોકરી મારાથી થાય તેમ નથી મને માફ કરજો.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp