ગુજરાતના વેપારીઓ માટે આ તારીખે ખાસ વેક્સીનેશન કેમ્પ યોજાશે, નીતિન પટેલની જાહેરાત

PC: khabarchhe.com

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, કોરોના સામેની લડાઈમાં રક્ષિત થવા માટે વેક્સીન જ અમોધ શસ્ત્ર પુરવાર થઈ રહ્યુ છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા વેક્સીનેશન ને ખાસ પ્રાધાન્ય આપીને સમય બદ્ધ આયોજન કર્યુ છે જેના પરિણામે રાજ્યભરમાં અત્યાર સુધીમા 3.1 કરોડથી વધુ નાગરિકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરી દેવાયા છે અને દરરોજ ત્રણ લાખથી વધુ નાગરિકોને રસી આપવામા આવે છે. આગામી તા.26 જુલાઈ, 2021 ને રવિવારના રોજ રાજ્યભરમાં વેપારીઓ-સેવાકિય સંસ્થાઓના કર્મચારીઓ માટે ખાસ વેક્સીનેશન કેમ્પનુ આયોજન કરાયુ છે તો સૌ વેપારીઓ-કર્મચારીઓને મહત્તમ લાભ લેવા અપીલ છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉમેર્યુ કે, રાજ્ય સરકારની અસરકારક કામગીરીને પરિણામે કોરોનાનુ સંક્રમણ ઘટ્યુ છે અને ઉત્તરોત્તર કેસોની સંખ્યામા પણ ઘટાડો થઈ રહ્યો છે હવે છેલ્લા બે-ત્રણ દિવસથી 25 થી નીચે કેસો નોધાય છે. રાજ્યમાં નાગરિકોના સહયોગથી સંક્રમણને રોકવામા સફળતા મળી છે ત્યારે આગામી સમયમા પણ નાગરિકો આવોને આવો સહયોગ આપીને સંયમ રાખે અને કોરોનાના યોગ્ય પ્રોટોકોલ સોશ્યલ ડીસ્ટન્સીગ અને માસ્ક અવશ્ય પહેરશુ તો ચોકકસ આપણે ગુજરાતને કોરોના મુકત બનાવી શકીશું.

તેમણે ઉમેર્યુ કે, રાજ્યમા સંક્રમણનું પ્રમાણ ઘટી રહ્યુ છે ત્યારથી જ ધંધા રોજગાર પૂર્વવત થાય અને નાના લોકોને રોજગારી મળી રહે અ આશયથી રાજ્ય સરકારે કોરોનાના પ્રોટોકોલના ચુસ્ત અમલ સાથે અનેક છૂટછાટો આપી છે એવા સંજોગોમા વેપારીઓનો પણ સારો સહયોગ સાપડ્યો છે ત્યારે નાના વેપારીઓ પણ આ વેક્સીનેશન કેમ્પનો મહત્તમ લાભ લઈ પોતે અને ગ્રાહકોને પણ સુરક્ષિત રાખે એ જરૂરી છે.

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, રાજ્યમાં હાલ તા.22.07.2021ના રોજ 15 લાખ 18 હજાર 250 વેક્સીનના ડોઝ ઉપલબ્ધ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2 કરોડ 31 લાખ 52 હજાર વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 70 લાખ 22 હજાર 571 વ્યક્તિઓને બીજો ડોઝ આમ બંને મળી કુલ 3 કરોડ 1 લાખ 74 હજાર 789 ને વેક્સીનના ડોઝ આપી દેવાયા છે. 18 થી 45 વર્ષની વયના 3 કરોડ 09 લાખ 63 હજાર 589 નાગરિકોને ભારત સરકારના સહયોગથી વિનામૂલ્યે વેક્સીન આપવાની થાય છે. તે પૈકી 98 લાખ 59 હજાર 432 વ્યક્તિઓને વેક્સીન અપાઇ ચુકી છે.

તેમણે ઉમેર્યુ કે, વેપારી-હોટલ-સેવાકિય ક્ષેત્રના કર્મચારીઓને ગૃહ વિભાગના જાહેરનામા અનુસાર તા.31.07.2021 સુધીમાં વેક્સીન લેવાની જરૂરીયાતને ધ્યાને લઇને વેપારી વર્ગ અને સેવાકિય વર્ગના કર્મચારીઓને તા.31.07.2021 સુધીમાં વેક્સીનેશન થઇ જાય તે માટે તા.25.07.2021, રવિવારના રોજ સ્પેશ્યલ વેક્સીનેશન કેમ્પનું 1800 સેન્ટરો ઉપર આયોજન કરાયું છે. જેનો વેપારીઓ-કર્મચારીઓને લાભ લેવા અપીલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp