સરકારની મદદે આવ્યા મહાજનોઃરાજપથ-કર્ણાવતી કલબ રોજ 5000 ફુટપેકેડ બનાવી AMCને આપશે

PC: c1.hiqcdn.com

 કોરોના સામેની લડાઈ બહુ વિકટ અને લાંબી ચાલે તેમ છે,માત્ર રાજય અને કેન્દ્ર સરકાર એકલા હાથે લડી શકે તેમ નથી,આ લડાઈમાંથી આપણે સહુ બહુ જલદી અને સલામત રીતે બહાર નિકળી જઈએ તે માટે સરકારને ખાનગી અને સામાજીક સંસ્થાઓ સહિત મહાજનોની પણ જરૂર છે, લોકડાઉનની સ્થિતિમાં સૌથી કપરી સ્થિતિ રોજમદારોની છે તેમની પાસે અન્ન પણ નથી અને પૈસા પણ નથી, આવા રોજમદારો સુધી રોજનું ભોજન પહોંચાડવાના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રયાસમાં અમદાવાદના રાજપથ અને કર્ણાવતી કલબે સહયોગ આપવાનો નિર્ણય કર્યો છે.

21 દિવસ લોકડાઉન રહેવાનું છે ત્યારે ગરીબ માણસ કેવી રીતે જીવશે તેવી ચીંતા કરતા અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ગરીબો ઘરની બહાર નિકળે નહીં અને તેમના ઘરના દરવાજે ભોજન પહોચે તેવી યોજના ઘડી કાઢી છે,જો કે કોર્પોરેશન એકલા હાથે આ કામને પહોંચી વળે તેમ નથી,કમિશનર વિજય નહેરા દ્વારા વિવિધ સંગઠનો અને સંસ્થાઓ પાસે આ કામના સહયોગ કરવાની વિનંતી કરી હતી.

જેના ભાગ રૂપે અમદાવાદની મોટી ગણાતી રાજપથ અને કર્ણાવતી કલબના હોદ્દેદારો દ્વારા અમદાવાદ કોર્પોરેશનને સવારે અને સાંજે પાંચ હજાર ફુટપેકેટ બનાવી આપવાનો નિર્ણય કર્યો છે.રાજપથ કલબના હોદ્દેદાર મીશેલ પટેલે જણાવ્યુ હતું કે સવાર-સાંજ કોઈ એક જ કેટરર્સ પાંચ હજાર ફુટપેકેટ બનાવી આપી શકે તેમ નથી આથી અમે અલગ અલગ ચાર કેટરર્સને આ કામ આપ્યુ છે સવાર સાંજે પાંચ હજાર ફુટપેકેટ અમે બનાવી અમદાવાદ કોર્પોરેશને સુપ્રત કરીશુ કોર્પોરેશનના અધિકારીઓ નક્કી કરેલા વિસ્તારમાં ગરીબના ઘર સુધી આ ફુડપેકેટ પહોંચાડશે

(પ્રશાંત દયાળ)

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp