તલાટીની પરીક્ષાઓનું આયોજન કરવામાં આવશે, ગુજરાત સરકારના મંત્રીની જાહેરાત

PC: khabarchhe.com

એક પછી એક ખાલી પહેલા મહેકમને લઈને રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોની અંદર ભરતી પ્રક્રિયા હાથ ધરવાની કામગિરી કરવામાં આવી રહી છે ત્યારે આગામી સમયમાં તલાટીની ભરતી પ્રક્રિયાની પરીક્ષાઓ પણ યોજવામાં આવશે. તે પ્રકારનું આયોજન કરાયું છે. સરકારી યોજનાઓના 100 ટકા અમલીકરણની તાકીદ કરવામાં આવી છે.

બ્રિજેશ મેરજા દ્વારા ગ્રામીણ ક્ષેત્રમાં સરકારની વિવિધ યોજના અને તેના કાર્યક્રમોનું અમલી કરણ થાય તે માટે રાજ્યની તમામ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં વિવિધ 17 સંવર્ગની 1321 જગ્યાઓ ભરવાની જાહેરાત કરવામાં આવી છે. આગામી ભરતી પ્રક્રિયાઓ પારદર્શક લેવાય તે અંગેના સૂચનો પણ તેમણે અધિકારીઓને કર્યા હતા. આગામી સમયમાં જલદી જ આ ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવશે.

ગાંધીનગરમાં બ્રિજેશ મેરજાની અધ્યક્ષતામાં જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિવિધ પંચાયતની અંદર ચૂંટવામાં આવેલા પદાધિકારીઓને 11 મુદ્દાઓનું માર્ગદર્શન આપ્યું હતું. જેનું મોનિટરીંગ કરવા માટે પણ સ્પસ્ટ સૂચના જિલ્લા અધિકારીઓને આપવામાં આવી છે. ત્યારે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને પણ મળેલી બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મુખ્ય સચિવ પંકજ કુમારે પણ આ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp