કપિલ બોલ્યો-સંત નથી હું, જ્યારે ગુસ્સો આવે છે ત્યારે....

PC: brecorder.com

કોમેડિયન કપિલ શર્માએ અરબાઝ ખાનના ચેટ શો ક્વીક હીલ પંચમાં ઘણી રસપ્રદ વાતો કરી હતી. આ શોમાં તેના પત્રકારને ગાળો આપવાના સવાલે ખૂબ ચર્ચા જગાવી હતી. અરબાઝે પત્રકારને ગાળ આપવા મુદ્દે કપિલને સવાલ પૂછ્યો હતો, ત્યારે કપિલે જવાબ આપ્યો હતો કે, હું કોઇ સંત નથી, જ્યારે ગુસ્સો આવે છે, ત્યારે ગાળો આપી દઉં છું.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા કપિલ શર્માએ એક પત્રકારને ફોન પર ગમે તેવી ગાળો આપી હતી. તેણે આ શોમાં સ્વીકાર્યું હતું કે, જર્નાલિસ્ટ સાથે વાતચીતમાં જે ભાષાનો ઉપયોગ થયો તે યોગ્ય નહોતો. તેણે કહ્યું હતું કે, હું માનું છું કે, જે ભાષાનો ઉપયોગ મેં કર્યો તે યોગ્ય નહોતી. તે સમયે મારા સેન્સમાં નહોતો. એ સમય હતો, ત્યારે હું ડિપ્રેશનથી પસાર થઇ રહ્યો હતો. ખૂબ દારૂ પીતો હતો.

તેણે વધુમાં કહ્યું હતું કે, જ્યારે લોકો પોતાના સેન્સમાં નથી હોતા, ત્યારે આવી હરકતો કરે છે. મેં તેના પર ગુસ્સો કર્યો, કારણ કે 6 મહિનાની અંદર તેણે એ વસ્તુ પર 160 આર્ટિકલ લખ્યા હતા, જે સાચી વાત નહોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp