નહીં બને ‘મિસ્ટર ઇન્ડિયા’ની સિક્વલ, આ છે કારણ

PC: dnaindia.com

1987મા રીલિઝ થયેલી સુપરહિટ ફિલ્મ ‘મિસ્ટર ઇન્ડિયા’નો બીજો પાર્ટ બનાવવાનો પ્લાન રદ્દ થઈ ગયો છે. 2017ના મધ્યમાં એવી ખબર આવી હતી કે, ‘મિસ્ટર ઇન્ડિયા’ના મેકર્સ ફિલ્મનો બીજો ભાગ  બનાવવાની તૈયારી કરી રહ્યા છે. ફેન્સ અનિલ કપૂર અને શ્રીદેવાની ફરીએકવાર પડદા પર સાથે જોવાને લઈને ઉત્સાહિત હતા, પરંતુ હવે આ પ્લાનને સંપૂર્ણપણે રદ્દ કરી દેવામાં આવ્યો છે. જેનું કારણ છે શ્રીદેવીનું નિધન.

ફેબ્રુઆરી મહિનામાં અચાનક થયેલા શ્રીદેવીના નિધન બાદ બોની કપૂરે આ પ્લાન કેન્સલ કરી દીધો છે. એક વેબસાઇટના સૂત્રો દ્વારા કહેવામાં આવ્યું છે કે, શ્રીદેવી વગર આ ફિલ્મની સિક્વલ બનાવવાનો કોઈ અર્થ નથી. આ તો એવું થશે કે અમે નરગિસ વગર મધર ઇન્ડિયા અથવા તાજમહલ વગર આગ્રા બનાવતા હોઈએ. ‘મિસ્ટર ઇન્ડિયા’ ત્રણ કિરદારો માટે યાદ કરવામાં આવે છે અનિલ કપૂર, અમરીશ પૂરી અને શ્રીદેવી.

જો કે હવે 2 કિરદારોનું તો નિધન થયું છે, એટલે પહેલા જેવો જાદૂ ચલાવવો મુશ્કેલ છે. એટલે બોની કપૂર અને શ્રીદેવીએ આ પ્લાન રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. બીજી બાજુ ‘મિસ્ટર ઇન્ડિયા’ના ડિરેક્ટર શેખર કપૂરે પણ કહ્યું છે કે, શ્રીદેવીના નિધન બાદ હવે આ ફિલ્મની સિક્વલ બનાવવાનો કોઈ ચાન્સ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp