રિતેશ દેશમુખનો PM મોદી પર વ્યંગ- 56 ઈંચનો તો લોકો કબાટ ખરીદે છે
બોલિવુડ અભિનેતા રિતેશ દેશમુખે એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાનો સાધ્યો હતો. રિતેશે PM મોદીના 56 ઈંચની છાતીવાળા નિવેદન પર કમેન્ટ કરી હતી. રિતેશે PM પર વ્યંગ કરતા કહ્યું હતું કે, લોકો 56 ઈંચનો ગોદરેજનો કબાટ ખરીદે છે.
રિતેશે BJP પર હુમલો કરતા કહ્યું હતું કે, PM 56 ઈંચની છાતી હોવાનો દાવો કરે છે. પરંતુ એકવાર પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, દેશ ચલાવવા માટે 56 ઈંચની છાતી નહીં પરંતુ હૃદય હોવું જોઈએ. તેણે વધુમાં કહ્યું હતું કે, મને નવાઈ લાગે છે કે, 56 ઈંચની છાતી પરિવર્તન ન લાવી શકી. એટલું જ નહીં રિતેશ દેશમુખે ઘણા મુદ્દાઓ પર BJP પર નિશાનો સાધ્યો હતો. રિતેશે કહ્યું હતું કે, આજે લોકોની પાસે કોંગ્રેસના કારણે મોબાઈલ ફોન છે. કમ્પ્યુટર પણ કોંગ્રેસની દેન છે. દેશને BJP નહીં પરંતુ કોંગ્રેસના કારણે આઝાદી મળી છે.
56" छातीला रितेश देशमुख यांचा टोला..
— Vishal Mane (@vmane_1) 14 April 2019
अहो , 56" तर गोदरेज चं कपाट येतंय.. 👌👌
भारताला मिळालेलं स्वातंत्र्य हे सुद्धा काँग्रेसची देणं आहे हे लक्षात ठेवा भक्तांनो..
आणि 2014 च्या आधी काय झालं ते बघा.. भक्तांनो , तुमच्या बुडाला जाळ लागल्याशिवाय राहणार नाही.
🙏 🏃🏃🏃 👏👏👏👏 pic.twitter.com/yxggx1RiHP
જણાવી દઈએ કે, રિતેશ દેશમુખ રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. રિતેશ દિવંગત કોંગ્રેસ નેતા વિલાસરાવ દેશમુખનો દીકરો છે. લોકસભા ચૂંટણીને લઈને સામાન્ય લોકોથી ળઈને બોલિવુડ સેલેબ્સ પણ પોતાના વિચારે રજૂ કરી રહ્યા છે. ઘણા સ્ટાર્સ પોતાની ફેવરિટ પાર્ટીને ચૂંટણીમાં જીતાડવા માટે વોટ અપીલ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp