રિતેશ દેશમુખનો PM મોદી પર વ્યંગ- 56 ઈંચનો તો લોકો કબાટ ખરીદે છે

PC: facebook.com

બોલિવુડ અભિનેતા રિતેશ દેશમુખે એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાનો સાધ્યો હતો. રિતેશે PM મોદીના 56 ઈંચની છાતીવાળા નિવેદન પર કમેન્ટ કરી હતી. રિતેશે PM પર વ્યંગ કરતા કહ્યું હતું કે, લોકો 56 ઈંચનો ગોદરેજનો કબાટ ખરીદે છે.

રિતેશે BJP પર હુમલો કરતા કહ્યું હતું કે, PM 56 ઈંચની છાતી હોવાનો દાવો કરે છે. પરંતુ એકવાર પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, દેશ ચલાવવા માટે 56 ઈંચની છાતી નહીં પરંતુ હૃદય હોવું જોઈએ. તેણે વધુમાં કહ્યું હતું કે, મને નવાઈ લાગે છે કે, 56 ઈંચની છાતી પરિવર્તન ન લાવી શકી. એટલું જ નહીં રિતેશ દેશમુખે ઘણા મુદ્દાઓ પર BJP પર નિશાનો સાધ્યો હતો. રિતેશે કહ્યું હતું કે, આજે લોકોની પાસે કોંગ્રેસના કારણે મોબાઈલ ફોન છે. કમ્પ્યુટર પણ કોંગ્રેસની દેન છે. દેશને BJP નહીં પરંતુ કોંગ્રેસના કારણે આઝાદી મળી છે.

જણાવી દઈએ કે, રિતેશ દેશમુખ રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. રિતેશ દિવંગત કોંગ્રેસ નેતા વિલાસરાવ દેશમુખનો દીકરો છે. લોકસભા ચૂંટણીને લઈને સામાન્ય લોકોથી ળઈને બોલિવુડ સેલેબ્સ પણ પોતાના વિચારે રજૂ કરી રહ્યા છે. ઘણા સ્ટાર્સ પોતાની ફેવરિટ પાર્ટીને ચૂંટણીમાં જીતાડવા માટે વોટ અપીલ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp