કરીનાના કહ્યા છતા સૈફે ન જોઇ સારાની ફિલ્મ 'કેદારનાથ'

PC: asianage.com

સારા અલી ખાનની ડેબ્યૂ ફિલ્મ 'કેદારનાથ' રિલીઝ થઇ ગઇ છે. ફિલ્મમાં સારાના કામને જોઇને બધા તેના વખાણ કરી રહ્યા છે, ત્યાં સુધી કે ઘણા સ્ટાર્સને આ ફિલ્મ જોઇ અને બધાને સારાનું કામ પસંદ આવ્યુ, પરંતુ શુ તમે જાણો છો કે સારાના પિતા સૈફ અલી ખાને આ ફિલ્મ નથી જોઇ. તેના પાછળ કારણ જાણીને તમને નવાઇ લાગશે. ખરેખર બોલીવુડ ના રિપોર્ટ મુજબ, 'સૈફએ હજી સુધી સારાની ફિલ્મ નથી જોઇ, જો કે ફિલ્મના ડાયરેક્ટર અભિષેક કપૂરે સૈફને આ ફિલ્મની સ્ક્રીનિંગ માટે ઇન્વાઇટ પણ કર્યા હતા. જો કે અમૃતા સિંહ તો દિકરીની ફિલ્મ જોવા આવી, પરંતુ સૈફ નહી. એટલુ જ નહી કરીનાના કહ્યા બાદ પણ તેણે આ ફિલ્મ ન જોઇ'

મળતી માહિતી મુજબ સૈફે આ ફિલ્મ એટલા માટે ન જોઇ કારણકે દિકરીની પહેલી ફિલ્મને લઇને તે નર્વસ છે. હાલમાં જ જ્યારે તેને આ વિશે પુછવામાં આવ્યુ તો તેણે કહ્યુ કે, 'હા મે હજી સુધી આ ફિલ્મ નથી જોઇ, પરંતુ જલ્દી જ જોવા જઇશ.' સારા અલી ખાનને લઇને શર્મિલા ટાગોરે પણ મોટી વાત કહી હતી. હમણા જ એક ઇન્ટર્વ્યૂ દરમિયાન સારાની દાદી શર્મિલા ટાગોરે પણ સારાને લઇને વાત કરી હતી કે તે સારાથી ઘણી પ્રભાવિત છે. શર્મિલા ટાગેરે જણાવ્યુ હતુ કે, ' હુ તેના બોલીવુડ ડેબ્યૂને લઇને ઘણી એક્સાઇટેડ છુ, હુ તેનાથી ઘણી પ્રભાવિત છુ. તેની અંદર ઘણો આત્મવિશ્વાસ છે, ચાર્મ છે જે મને ખૂબ પસંદ છે. તેણે જે રીતે પોતાને નિખારી છે તે જોઇને મને ખૂબ ખુશી થાય છે. તેની સાથે જ જે રીતે કરણ જોહરના શો 'કોફી વિથ કરન' માં તે તેના પિતા સાથે ઉભી રહી, હુ ખુબ ગર્વ અનુભવુ છુ.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp