ઇરફાન અને સોનાલી બાદ હવે શું શાહિદને પણ થયું છે કેન્સર?

PC: facebook.com/pg/shahidkapoor

થોડા કેટલાક સમયથી બોલીવુડમાં લગાતાર સ્ટાર્સને કેંસરની ખબરો સામે આવી રહી છે. પહેલા ઇરફાન ખાન પછી સોનાલી બેન્દ્રે અને હવે ખબરો અનુસાર બોલીવુડના ચોકલેટી બોય શાહિદ કપૂરને પણ કેંસર થઇ ગયુ છે. જણાવામાં આવી રહ્યુ છે કે તેને પેટનુ કેંસર છે. જો કે આ વાત પર શાહિદનુ નિવેદન સામે આવ્યુ નથી.

પરંતુ હાલમાં એબીપી ન્યૂઝ શાહિદ કપૂરના પરિવારથી આ વાતની જાણકારી લીધી તો તે બધાએ આ ખબરને એકદમ બકવાસ અને બેબુનિયાદ જણાવ્યુ. વાતચીત દરમિયાન તેમણે કહ્યુ કે,' લોકો કઇ પણ કેવી રીતે લખી શકે છે? અને આ વાતનો આધાર શુ છે? આ રીતની અફવાઓ ફેલાવાને કેવી રીતે સાચુ ઠેરવી શકાય છે?' ત્યાર બાદ જ્યારે એક રિપોર્ટરે શાહિદ કપૂરના મેનેજર આંકાંક્ષાને ફોન કરી આ વિશેની જાણકારી લીધી તો તેમણે પણ હેરાનગતી સાથે આ વાતને ખોટી કીધી.

આકાંક્ષાએ કહ્યુ કે જ્યારે શાહિદને આ વિશે ખબર પડી તો, એ સાંભળ્યા બાદ તે હસી રહી હતી કે તેના વિશે ન જાણે કેવી કેવી ખબરો ફેલાઇ રહી છે. મેનેજરે કહ્યુ કે હજી શાહિદ કપૂર એક અગત્યના પોતાના કામથી આ દિવસોમાં દિલ્હી છે અને તે આવતા બે દિવસોમાં મુંબઇ આવશે.જો કે છેલ્લી વાર શાહિદ કપૂર ફિલ્મ 'બત્તી ગુલ મીટર ચાલૂ' માં નજર આવ્યા હતા. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ અસર ન બતાવી શકી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp