આ કારણે સુશાંતે 15 કરોડની એડની ઓફર ઠુકરાવી

PC: heartyhosting.com

ચહેરાનો રંગ નીખારવા માટે ક્રીમ્સને પ્રમોટ કરવા માટે ગયા વર્ષે અભય દેઓલ દ્વારા બોલિવુડના સેલિબ્રિટિઝ પર કટાક્ષ કરવામાં આવ્યો હતો અને આ મુદ્દો ખૂબ ચગ્યો હતો. મોટી સંખ્યામાં લોકોએ અભય દેઓલના સ્ટેટમેન્ટનું સમર્થન કર્યું હતું. અભયના સ્ટેટમેન્ટ બાદ ફેયરનેસ ક્રીમની એડ કરતા કેટલાક સ્ટાર્સે અભયનો વિરોધ કર્યો હતો. પરંતુ અભય પોતાના સ્ટેટમેન્ટ પર અડગ રહ્યો હતો અને તેની રાહ પર ચાલીને સુશાંત સિંહે પણ મોટો નિર્ણય લીધો છે.

સુશાંત સિંહ રાજપૂતે ફેયરનેસ ક્રીમની એડનો વિરોધ કરીને 15 કરોડ રૂપિયાની જાહેરાતને ફગાવી દીધી હતી. સુશાંતનું માનવું છે કે, આવી વસ્તુનું પ્રમોશન કરવાથી સમાજ સામે ખોટો સંદેશ જાય છે અને એક એક્ટરની આ ડ્યૂટી છે કે, તે કોઈપણ પ્રોડક્ટને લઈને ખોટો મેસેજ લોકો સુધી ન પહોંચાડે. મહેન્દ્ર સિંહ ધોનીની ફિલ્મ ‘એમ.એસ.ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’થી ફેમસ બનેલો સુશાંત છેલ્લે રાબતામાં જોવા મળશે અને અત્યારે તે ‘ડ્રાઇવ’ અને ‘ચંદા મામા દૂર’ ની શૂટિંગ કરી રહ્યો છે. આ સિવાય તે ‘કેદારનાથ’માં સારા અલી ખાન સાથે પણ જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp