હાઉસીંગ બોર્ડ-સ્લમ સેલના 1 લાખથી વધુ પરિવારો માલિક બનશે: દસ્તાવેજ કરી અપાશે

PC: indiatimes.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત હાઉસિંગ બોર્ડના અને સ્લમ સેલના 1 લાખથી વધુ પરિવારોને આવાસ માલિકી હક્ક પ્રાપ્ત થાય તે માટે મહત્વપૂર્ણ પ્રજાભિમુખ નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર લાભાર્થીઓને ફાળવવામાં આવેલા મકાન આવાસના બિલ્ટ અપ એરિયા સિવાયના રહેણાંક પ્રકારના અનઅધિકૃત બાંધકામને શરતોને આધિન ખુલ્લા પ્લોટની જંત્રીના ભાવે તેમજ વાણિજય પ્રકારના અનઅધિકૃત બાંધકામને ખુલ્લા પ્લોટની જંત્રીના બે ગણા (ડબલ) ભાવે વપરાશ ફી લઇને મૂળ બાંધકામનો દસ્તાવેજ કરી અપાશે.

ગુજરાત હાઉસીંગ બોર્ડ તેમજ સ્લમ સેલના મળીને કુલ 1,00,267થી વધુ કુટુંબોને માલિકી હક્ક પ્રાપ્ત થશે.

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે ર૦૧૪થી પડતર રહેલા આ પ્રશ્ને મુખ્યમંત્રીએ સમાજના બહોળા હિતમાં કરેલા આ નિર્ણયને પરિણામે ગુજરાત હાઉસિંગ બોર્ડની આવકમાં વૃદ્ધિ થતા નવા આયોજનોને વેગ મળતો થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp