હવેથી આ તમામ પોસ્ટ પર IAS ઓફિસરની થશે નિમણૂક

PC: onlynews24.com

રાજ્ય સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સરકારની કંપનીઓના કેટલાક હોદ્દાને નિશ્ચિત આઇ.એ.એસ. કેડર સમક્ષ જાહેર કર્યા છે.

આ અંગેની સામાન્ય વહિવટ વિભાગની યાદીમાં જણાવાયા અનુસાર રાજ્ય સરકારે ઉત્તર ગુજરાત વીજ કંપની લિ. મહેસાણાના મેનેજીંગ ડિરેકટર, ગાંધીનગર મહાનગરપાલિકા અને ભાવનગર મહાનગરપાલિકાના કમિશનરો, કમિશનર ઓફ મ્યુનિસિપાલિટિઝ, સર્વ શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેકટર અને પ્રાથમિક શિક્ષણ નિયામકનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત રાહત નિયામકના હોદાને અધિક સચિવ સમકક્ષ તેમજ ડી-સેગના ચીફ એકઝ્યુકીટીવ ઓફિસર, જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર, અમદાવાદ મહાનગરપાલિકાના નાયબ કમિશનર અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની રાજકોટના મેનેજીંગ ડિરેકટરના હોદાને સંયુક્ત સચિવ સમકક્ષ જ્યારે મેડિકલ સર્વિસીઝ કોર્પોરેશન લિ. ગાંધીનગરના હોદાને નાયબ સચિવ સમક્ષ ગણવાનો નિર્ણય લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp