સાવકો પિતા સગીરા સાથે કરતો હતો દુષ્કર્મ, કંટાળીને સગીરા ટ્રેનમાં સુરત ભાગી આવી

PC: shethepeople.tv

દીકરી હંમેશાં તેના પિતાને જીવ કરતા વધારે વ્હાલી હોય છે. પિતા જેટલો પુત્રને સ્નેહ નથી કરતા તેટલો સ્નેહ દીકરીને કરે છે. ત્યારે અમદાવાદના પિતા અને દીકરીના સંબંધ પર કલંક લગાડતો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં સાવકો પિતા સગીરવયની દીકરી સાથે દુષ્કર્મ કરતો હતો. પિતાના ત્રાસથી કંટાળેલી સગીરા ટ્રેનના બેસીને સુરત આવી ગઈ હતી.

મળતી માહિતી અનુસાર, અમદાવાદના મણીનગરમાં રહેતી સગીરાના પહેલા પિતા માનસિક બીમાર હોવાના કારણે તે ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા હતા, જેના કારણે ઘરની જવાબદારી માતા પર આવી ગઈ હતી, દીકરીનું સારી રીતે ભરણ પોષણ થઈ શકે તે માટે સગીરાની માતાએ બીજા લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ સગીરા તેની માતા અને બે બહેનો સાવકા પિતા સાથે રહેતા હતા. પરંતુ સાવકો પિતા અવાર નવાર સગીરા અને તેની બહેનો પર દાનત બગડતો હતો. આ ઉપરાંત જ્યારે સગીરાની માતા બહાર ગામ જતી હતી ત્યારે સાવકો પિતા અવાર નવાર દુષ્કર્મ આચરતો હતો અને માતા જ્યારે ઘરે હાજર ન હોય ત્યારે બંને બહેનો સાથે શારીરિક અડપલા કરતો હતો. સાવકા પિતાની આ હરકતોની કંટાળેલી સગોરાએ મુંબઈ નાનીના ઘરે જવાનું નક્કી કર્યું અને તે રાત્રે ઘરેથી નીકળી ગઈ અને રેલવે સ્ટેશનથી મુંબઈ જતી ટ્રેનમાં બેસી ગઈ.

ટ્રેનમાં બેઠા પછી પણ સગીરા પિતાએ કરેલા કૃત્યને ભૂલી ન શકી અને તે રડવા લાગી હતી, જેના કારણે ટ્રેનમાં બેઠેલી અન્ય મહિલાઓએ સગીરાને રડવાનું કારણ પૂછતાં તેણે સમગ્ર મામલે હકીકત જણાવી હતી. આથી મહિલાઓએ સુરત રેલવે સ્ટેશન પર પહોંચીને 181 અભયમ હેલ્પલાઈન પર ફોન કરીને ટીમને સોંપી દીધી હતી. હાલ સગીરાને સુરતની સિવિલ હોસ્પિટલમાં સખીવન સ્ટોપ ખાતે રાખવામાં આવી છે અને તેની શારીરિક તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp