અમરેલી: પાટીદાર આગેવાન નરેશ પટેલ પૂર્વ મંત્રી દિલીપ સંઘાણીને મળવા પહોંચ્યા

PC: khabarchhe.com

પૂર્વ મંત્રી અને સહકારી આગેવાન દિલીપ સંઘાણીના ભાઈનું થોડા દિવસ પૂર્વે નિધન થતા રાજકીય આગેવાનો સાંત્વના પાઠવવા આવી રહ્યા છે. ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પણ દિલીપ સંઘાણીને ત્યાં સાંત્વના પાઠવવા પહોંચ્યા હતા. નરેશ પટેલની સાથે સ્થાનિક પાટીદાર અગ્રણીઓ જોડાયા હતા.

દિલીપ સઘાણીના લઘુબંધુ ચંદુભાઈ સંઘાણીનું થોડા દિવસ પહેલા નિધન થયું હતું. સંઘાણી પરિવારમાં દુઃખની ઘડીમાં સાંત્વના પાઠવવા માટે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ આવી પહોંચ્યા હતા. દિલીપ સંઘાણી સાથે મુલાકાત કરી નરેશ પટેલે સાંત્વના પાઠવી હતી. આ સમયે સાવરકુંડલા કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત,જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે.રૈયાણી, સુરેશ કોટડીયા,શરદ ધાનાણી,જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા સહિત પાટીદાર નેતાઓ જોડાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp