બનાસકાંઠા સાંસદ પરબત પટેલને કોણ દૂર કરવા માગે છે, જાણો

PC: khabarchhe.com

ગુજરાત રાજ્યના પૂર્વ પ્રધાન અને હાલના બનાસકાંઠાના સાંસદ પરબત પટેલની જીતને પડકારતી પિટિશન હાઇકોર્ટમાં કરાઇ છે. પિટિશનમાં નિરૂપમાબહેને દાવો કર્યો છે કે 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા લોકસભા સીટ પર પરબત પટેલની જગ્યાએ તેમને વિજયી જાહેર કરવામાં આવે. પરબત પટેલ તથા અન્ય તમામ ઉમેદવારો દ્વારા ભરવામાં આવેલા ઉમેદવારીપત્રો ખામીયુક્ત છે. જેમાં પરબત પટેલના ઉમેદવારી પત્રમાં તેમણે વધારાનું સોગંદનામું નથી કર્યું. આ અરજીની વધુ સુનાવણી આગામી 13મી સપ્ટેમ્બરે હાથ ધરાશે.

અરજીમાં જણાવ્યા પ્રમાણે સરકારી રહેઠાણનો કબજો ધરાવનાર ઉમેદવાર તરીકે વીજળી, પાણી, બિલ જે એજન્સીઓને ચૂકવવાના હોય તે એજન્સીઓ પાસેથી ના લેણાં સર્ટીફીકેટ લાવીને વધારાનું સોગંદનામું નોટરી પબ્લિક કે પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ કે ઓથ કમિશનર પાસે કરાવીને વધારાના સોગંદનામા સાથે તેમના ઉમેદવારીપત્રની સાથે ના લેણાં સર્ટીફીકેટ રજુ કરવા જરૂરી છે. જે ઉમેદવારને આ લાગુ ન પડતું હોય તેમણે વધારાનું સોગંદનામું કરવું જરૂરી છે, જેમાં તેમણે એવું જણાવવાનું હોય છે કે અમો સરકારી આવાસ ધરાવતા નથી અને આવું વધારાનું સોગંદનામું ફરજિયાત કરીને તેમના ઉમેદવારીપત્રની સાથે રજૂ કરવું જરૂરી છે.

આ ચૂંટણીમાં કુલ 33 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી નિરૂપમાબહેન સિવાયના અન્ય 32 ઉમેદવારોએ વધારાનું સોગંદનામુ કરેલું નથી. આથી નિરૂપમાબહેન સિવાયના તમામે તમામ 32 ઉમેદવારોના ઉમેદવારી પત્રો ખામીયુક્ત છે અને ભારતના સંવિધાનના આર્ટીકલ 84(એ)ની જોગવાઈઓના સોગંદ/પ્રતિજ્ઞા ભારતના સંવિધાનની ભાષા અંગ્રેજીમાં, ભારતની સત્તાવાર ભાષા અંગ્રેજી ભાષામાં લેવા ફરજિયાત છે જે બાકીના 32 ઉમેદવારોએ અંગ્રેજી ભાષામાં સોગંદ/પ્રતિજ્ઞા કર્યા નથી અને ગુજરાતી ભાષામાં સોગંદ પ્રતિજ્ઞા લીધા છે. સોગંદ/પ્રતિજ્ઞા એ સંવિધાનના છે અને સંવિધાન માટે ગુજરાતી ભાષા બાકાત છે, આથી તમામ 32 ઉમેદવારોએ સંવિધાનના આર્ટીકલ 84 (એ)મુજબ ગુજરાતી ભાષામાં લીધેલ સોગંદ/પ્રતિજ્ઞા લાયકાત વિનાના, અધુરી વિગતોવાળા અને ખામીવાળા છે તેથી ગેરકાયદેસર અને નિયત નમુના વિરૂદ્ધ છે. આ અંગે નિરૂપમાબહેને જે તે સમયે ચૂંટણી અધિકારી સમક્ષ મૌખિક તથા લેખિત બન્ને રીતે સખત વાંધો ઉઠાવ્યો હતો, જેમાં તેઓએ જણાવ્યું હતું કે બાકીના તમામ 32 ઉમેદવારોના ઉમેદવારીપત્રો ખામીવાળા હોઇ તેને રદ કરવાં તથા બીજું કોઈ હરીફ ઉમેદવાર ના હોવાથી નિરુપમાબહેનને બિનહરીફ વિજેતા જાહેર કરવા. પણ જે તે ચૂંટણી અધિકારીએ તેમની વાંધા અરજી નામંજૂર કરેલી આથી આ અંગે દાદ માંગતી પિટિશન તેઓએ હાઇકોર્ટમાં કરી છે. આ પિટિશનની વધુ સુનવણી 13 સપ્ટેમ્બરે હાથ ધરાશે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp