બાવળામાં સી.આર.પાટીલની અધ્યક્ષતામાં BJPની ચૂંટણીલક્ષી ચિંતન શિબિર યોજાશે

PC: khabarchhe.com

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની ચિંતન બેઠક 15 અને 16 મે ના રોજ અમદાવાદ જીલ્લાના બાવળા તાલુકાના કેન્સવિલે ખાતે યોજાશે. ચિંતન બેઠક ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાશે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગની એક અખબારી યાદીમાં પ્રાપ્ત થતી વિગતો અનુસાર આજે ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ ગુજરાત પ્રદેશના આગામી મહત્વની ચિંતન બેઠક અંગે પત્રકાર પરિષદને સંબોધી હતી. આ પત્રકાર પરિષદમાં પ્રદેશના મીડિયા કન્વીનર ડો.યજ્ઞેશ દવે, પ્રદેશના સહપ્રવકતા ડો.રૂત્વીજ પટેલ, પ્રદેશના સહપ્રવકતા ઝુબિનભાઇ આસરા ઉપસ્થિત રહ્યા હતા.

પ્રદિપસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે, આવતીકાલે 15 અને 16 મે ના અમદાવાદ જીલ્લાના બાવળા તાલુકાના કેન્સવિલે ખાતે ગુજરાત પ્રદેશની ચિંતન બેઠક યોજાશે. આ બેઠક ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાશે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભારતીય જનતા પાર્ટીની તૈયારીઓ તેજ થઈ થઈ છે. ત્યારે ચૂંટણી પહેલા આ મોટી બેઠક યોજવામાં આવશે. ખાસ કરીને આગામી ચૂંટણીમાં ગુજરાતમાં આ વખતે આમ આદમી પાર્ટી પણ ઝંપલાવી રહી છે ત્યારે BJP માટે આ વખતે બે પક્ષો સામે ટક્કર લેવા માટેની રણનીતિ બનાવવી પડશે. જેથી BJP સક્રિય થઈને આ તૈયારીઓ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp