અમદાવાદ અને ગાંધીધામથી ઉપડતી 3 ટ્રેનના સમયમાં પરિવર્તન

PC: theprint.in

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળથી ચાલનારી અમદાવાદ-દરભંગા ક્લોનના છાયાપુરી સ્ટેશન, ગાંધીધામ-ભાગલપુર સ્પેશિયલના અમદાવાદ સ્ટેશન અને અમદાવાદ-પટના ક્લોન ના છાયાપુરી સ્ટેશન ના આગમન અને પ્રસ્થાન સમય માં  ફેરફારો કરવામાં આવ્યો છે જે નીચે મુજબ છે:

ટ્રેન નંબર 09465 અમદાવાદ દરભંગા સાપ્તાહિક ક્લોન સ્પેશિયલ 23 ઓક્ટોબર 2020થી છાયાપુરી સ્ટેશન પર તેના આગમન પ્રસ્થાન ના નિર્ધારિત સમય 22:01/22:04 ની જગ્યાએ બદલાયેલો સમય 22:14/22:17 રહેશે.

ટ્રેન નં. 09451 ગાંધીધામ - ભાગલપુર સ્પેશિયલ 23 ઓક્ટોબર 2020 થી અમદાવાદ સ્ટેશન પર આગમન પ્રસ્થાન નો નિર્ધારિત સમય 23:15/23:25 ની જગ્યાએ 23:05/23:25 વાગ્યાનો રહેશે અને વાપસીમાં ટ્રેન નંબર 09452 ભાગલપુર - ગાંધીધામ નો નિર્ધારિત આગમન પ્રસ્થાન નો સમય 02.30 / 02.40 ની જગ્યા એ 02.20 / 02.40 રહેશે.

ટ્રેન નંબર 09447 અમદાવાદ - પટના ક્લોન સ્પેશિયલ સાપ્તાહિક 28 ઓક્ટોબર, 2020 થી અમદાવાદ થી ચાલવા નો  સમય 19.45 કલાક ને બદલે 19.30 કલાક નો રહેશે અને છાયાપુરી સ્ટેશન પર તેના આગમન પ્રસ્થાન નો નિર્ધારિત સમય 21.06 / 21.09 ને બદલે 21.17 / 21.20 કલાકનો રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp