ડાયમંડ ઇમ્પ્રેસ્ટ ઓથોરાઇઝેશન સ્કીમને મંજૂરી, ઉદ્યોગને શું ફાયદો થશે?

છેલ્લાં 2 વર્ષથી મંદીનો માર ખાઇ રહેલા ડાયમંડ ઉદ્યોગ માટે કેન્દ્ર સરકાર તરફથી રાહતના સમાચાર મળ્યા છે. મોડે મોડે આખરે કેન્દ્ર સરકારે ઉદ્યોગની લોકોની માંગણી સ્વીકારી છે.
કેન્દ્ર સરકારે ડાયમંડ ઇમપ્રેસ્ટ ઓથોરાઇઝેશન સ્કીમને મંજૂરી આપી છે, જેનો 1 એપ્રિલ 2025થી અમલ થશે. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ (GJEPC)ના ચેરમેન વિપુલ શાહે કહ્યું કે, આ યોજના આમ તો વર્ષ 2010 વખતે હતી, પરંતુ તેને રદ કરી દેવામાં આવી હતી. અમે સરકાર પાસે વારંવાર માંગણી કરી હતી જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે, જેને કારણે ડાયમંડ ઉદ્યોગને મોટો ફાયદો થશે.
GJEPCના રિજિયોનલ ચેરમેન વિજય માંગુકીયાએ કહ્યું કે, અત્યાર સુધી એવું હતું કે, કોઇ ડાયમંડ ઉદ્યોગકારે પોલિશ્ડ ડાયમંડની નિકાસ કરી હોય અને તેમાં જો કેટલાંક ડાયમંડ રિજેક્ટ થયા હોય અને તે પાછા ભારત આવે તો આયાત ડ્યુટી લાગતી હતી. હવે સરકારે કહ્યું છે કે, 15 મિલિયન ડોલરની ઉપર જેમની નિકાસ હોય તેમને આવા ડાયમંડ પાછા મંગાવવા માટે 5 ટકા સુધી આયાત ડ્યુટી નહી લાગશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp