CMના જન્મદિને PMએ ગુજરાતની વિકાસયાત્રા વધુ વેગવાન બને એવા આશિષ પાઠવ્યા
ગુજરાત સરકારની એક પ્રેસ રીલિઝમાં જણાવાયું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે 65માં જન્મદિવસના અવસરે દિવસની શરૂઆત પર્યાવરણના જતન માટે 71મા વન મહોત્સવના શુભારંભથી કરી હતી. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિદજી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ટેલિફોનિક શુભેચ્છાઓ પાઠવીને મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતની વિકાસયાત્રા વધુ વેગવાન બને એવા આશિષ પાઠવ્યા હતા.
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ટેલીફોનીક વાતચીત કરીને 65મા જન્મદિનની શુભકામનાઓ આપી હતી. રાષ્ટ્રપતિએ મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાત વિકાસની જે નવી ઉંચાઈઓ પાર કરી રહ્યું છે તે માટે પણ અભિનંદન પાઠવ્યા હતા અને તેઓના લાંબા આયુષ્યની કામનાઓ વ્યક્ત કરી હતી.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીને તેમના જન્મ દિવસે શુભેચ્છાઓ પાઠવી, જન્મ દિવસના અભિનંદન આપ્યા હતા. વડાપ્રધાનએ મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાત રાજ્યની વિકાસ યાત્રા ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે તે માટે પણ અભિનંદન આપીને વિજય રૂપાણીના દીર્ઘાયુ અને સ્વાસ્થ્યપ્રદ જીવનની કામના કરી હતી. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ગૃહ મંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી ટેલિફોનિક શુભકામનાઓ પાઠવી તેમનુ આરોગ્ય નિરોગીમય રહે અને એમના નેતૃત્વમાં રાજ્યની વિકાસયાત્રા અવિરત રાખે એવી શુભકામનાઓ પાઠવી હતી
Best wishes to CM of Gujarat, Shri @vijayrupanibjp on his birthday. He has been making an effective contribution to Gujarat’s progress. Praying for his long and healthy life.
— Narendra Modi (@narendramodi) August 2, 2020
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ટેલીફોનીક વાતચીત કરીને જન્મદિનની શુભકામનાઓ આપી હતી અને તેમનું આરોગ્ય નિરોગી રહે, રાજ્યના નાગરિકોને જનહિતકારી લાભો અવિરત પણે આપતા રહે એવા શુભાશિષ પાઠવ્યા હતા.
BAPS સંસ્થાના વડા મહંત સ્વામીએ પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીને જન્મ દિન નિમિતે ટેલિફોન કરીને શુભ આશિષ પાઠવ્યા હતા. મહંત સ્વામીએ ભગવાન સ્વામી નારાયણની અવિરત કૃપા-આશિષ વિજય રૂપાણી પર વરસતા રહે, ગુજરાત મુખ્યમંત્રીના નેતૃત્વમાં વધુને વધુ ઉન્નતિ કરે તેવી વાંછના પણ કરી હતી.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રી મંડળના સભ્યો, વિવિધ સમાજના અગ્રણીઓ, વિવિધ સમાજસેવી સંસ્થાઓના પ્રતિનિધિઓ, સામાજિક કાર્યક્રરો સહિત અનેક પદાધિકારીઓ અને નાગરિકોએ મુખ્યમંત્રી સાથે ટેલીફોનિક વાત કરી શુભેચ્છાઓ આપીને ગુજરાત એમના નેતૃત્વમાં વધુ પ્રગતિ કરે એવા આશીર્વાદ પાઠવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp