મોરારી બાપુએ CM યોગી આદિત્યનાથને 'પૂજ્ય યોગીજી' કેમ કહ્યા?
ગુજરાતના પ્રખ્યાત રામ કથાકાર અને આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુએ ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથના વખાણ કર્યા છે. તામિલનાડુના તંજાવુરથી કથા પૂર્ણ કરીને ભાવનગરના તલગાજરડામાં ચિત્રકૂટધામ પરત ફરેલા મોરારી બાપુએ CM યોગી આદિત્યનાથની મુક્ત મને પ્રશંસા કરી હતી. CM યોગી આદિત્યનાથને CM કહેવાને બદલે તેમને પૂજ્ય યોગીજી કહીને સંબોધ્યા હતા. મોરારી બાપુએ કહ્યું કે, જ્યારથી તેઓ UPના CM બન્યા છે, ત્યારથી પ્રયારાજનો કુંભ વધુ દિવ્ય બની ગયો છે. UPના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરી 2025થી મહાકુંભ શરૂ થઈ રહ્યો છે.
મોરારી બાપુએ એક મીડિયા ચેનલ દ્વારા પુછાયેલા સવાલોના જવાબમાં કહ્યું કે, તેઓ કુંભમાં 9 દિવસ સુધી રામકથાની વિધિ કરશે. જ્યારે મોરારી બાપુને પૂછવામાં આવ્યું કે, તેઓ અગાઉના અને આ કુંભની તૈયારીઓ કેવી રીતે જુએ છે, તો તેમણે કહ્યું કે, હું દરેક કુંભમાં જાઉં છું. આ વખતે પૂર્ણ કુંભ છે, તેથી હું ચોક્કસ જઈશ. તેમણે કહ્યું કે તેઓ 18 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધી કુંભમાં રહેશે. મોરારી બાપુએ કહ્યું કે, જ્યારથી યોગી CM બન્યા છે ત્યારથી કુંભ દિવ્ય બની રહ્યો છે. મોરારી બાપુએ કહ્યું કે, હું કુંભમાં જોઈ રહ્યો છું કે દર વર્ષે કુંભનો ખુબ જ વિકાસ થઇ રહ્યો છે. મોરારી બાપુએ કહ્યું કે, હું એક એવો સંત છું જે દરેકથી એક અંતર રાખી રહ્યો છું, પરંતુ જ્યારથી આદરણીય યોગીજી મહારાજ UPના CM બન્યા છે. પ્રયાગમાં કુંભનું સ્વરૂપ દિવ્ય બની રહ્યું છે.
બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા હુમલાના પ્રશ્ન પર મેરારી બાપુએ કહ્યું કે ભારત સરકારે હંમેશા બાંગ્લાદેશને તન, મન અને ધનથી સાથ આપ્યો છે. ત્યાંની પરિસ્થિતિ વિશે હું વાત ન કરીશ. મોરારી બાપુએ કહ્યું કે, સનાતન ધર્મની ઉદારતા હિંદુઓ પરના હુમલા, મંદિરો અને પ્રતિમાઓના વિનાશને ક્યારેય સહન કરી શકે નહીં. મોરારી બાપુએ કહ્યું કે, દેશમાં એક વિચારશીલ સરકાર છે. ચોક્કસ તે આ અંગે નિર્ણય લેશે. મસ્જિદો હેઠળ મંદિરોના નિર્માણ અને સંભાલની ઘટના અંગેના પ્રશ્ન પર મોરારી બાપુએ કહ્યું કે, એ વાત સાચી છે કે ભારતના સનાતન અને હિન્દુ મંદિરોને તોડીને ધાર્મિક સ્થળો બનાવવામાં આવ્યા હતા. મોરારી બાપુએ કહ્યું કે, તે જગ્યા છોડીને ધાર્મિક સ્થળો બનાવી શકાય છે. તે સ્થળ પર કંઈક કરવું તે યોગ્ય છે. મોરારી બાપુએ કહ્યું કે, સરકાર અને જાગૃત સમાજ આ અંગે નિર્ણય લેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp