અમદાવાદમાં શિવરંજની ચાર રસ્તા પાસે AMTS બસ પર થયો પથ્થરમારો

PC: amts.co.in

અમદાવાના શિવરંજની ચાર રસ્તા પાસે AMTS બસમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. પેસેન્જરે પહેલા તો બસના કંડક્ટર સાથે બોલાચાલી કરી હતી, ત્યારબાદ મારામારી કરી હતી. આ મારામારી પછી કેટલાક સ્થાનિક લોકોએ ભેગા થઈને બસ પર પથ્થરમારો કર્યો હતો.

એક રીપોર્ટ અનુસાર શિવરંજની ચાર રસ્તા પાસે એક વ્યક્તિએ BRTSની ટિકિટ AMTS બસમાં ચલાવવા બાબતે કંડક્ટર સાથે માથાકૂટ કરી હતી અને આ માથાકૂટમાં બંને વચ્ચે મારામારીના દૃશ્યો પણ સર્જાયા હતા. જેના કારણે કેટલાક લોકોએ બસ પર પથ્થરમારો કર્યો હતો. ઘટનાની જાણ બસના ડ્રાઈવર દ્વારા પોલીસને કરવામાં આવતા ગણતરીના સમયમાં સેટેલાઈટ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે કાર્યવાહી કરીને મામલો થાળે પાડ્યો હતો. પથ્થરમારાના કારણે બસના કેટલાક કાચ તૂટી ગયા હતા.

જે સમયે ઘટના બની હતી તે સમયે બસમાં પેસેન્જરો પણ સવાર હતા ત્યારે એકાએક બસમાં પથ્થરમારો થવાના કારણે પેસેન્જરોને બસમાંથી નેચે ઉતરી દેવામાં આવ્યા હતા. જેના કારણે પથ્થરમારાની ઘટનામાં કોઈપણ વ્યક્તિને ઈજા થવા પામી નથી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે કે, બસના કંડક્ટર સાથે મારામારી કરનાર ઇસમ કોણ હતો અને તેને ટિકિટની બાબતમાં જ માથાકૂટ કરી છે કે, કંડક્ટર સાથે કોઈ અંગત અદાવત રાખીને મારામારી કરીને બસ પર પથ્થરમારો કર્યો હતો, તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp