અમદાવાદ-વડોદરા-સુરતના નવા પોલીસ કમિશનરના નામની જાહેરાત

PC: ahmedabadmirror

અમદાવાદના પોલીસ કમિશનર તરીકે કોણ આવશે તેની ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી, ત્યારે હવે જાહેરાત થઇ ગઇ છે કે, અમદાવાદના પોલીસ કમિશનર પદે સંજય શ્રીવાસ્તવ આવશે. આશિષ ભાટીયાની નિમણૂક રાજ્યના પોલીસ વડા તરીકે થયા પછી હાલ આ પોસ્ટ ખાલી પડી હતી. Khabarchhe.comએ આજે પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, સચિવાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે સંજય શ્રીવાસ્તવ ફિક્સ છે અને તે સાચું પડ્યું હતું. સંજય શ્રીવાસ્તવની સાથે અજય તોમરનું નામ પણ ચર્ચાઇ રહ્યું હતું. પણ અજય તોમરને સુરતના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. 

હાલ તો રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા અમદાવાદના પોલીસ કમિશનરનો વધારાનો હવાલો સંભાળી રહ્યાં છે. ગુજરાતના રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે અમદાવાદના પોલીસ કમિશનરનું નામ એક-બે દિવસમાં જાહેર થશે.

સીઆઇડી ક્રાઇમ અને રેલવેના ડીજીબી સંજય શ્રીવાસ્તવ અને અમદાવાદના વિષેશ કમિશનર અજય તોમર વચ્ચે સ્પર્ધા ચાલી રહી હતી. એક સપ્તાહ પહેલાં આશિષ ભાટીયાના સ્થાને અજય તોમર અમદાવાદના પોલીસ કમિશનર બને છે તેવી અટકળો તેજ બની હતી પરંતુ હવે સંજય શ્રીવાસ્તવનું નામ પસંદ થયું હતું.

જ્યારે સુરતના પોલીસ કમિશનર આર.બી. બ્રહ્મભટ્ટને વડોદરાના પોલીસ કમિશનર તરીકે મૂકવામાં આવ્યા છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp