સરદાર સરોવર નિગમના ઈજનેરે 8 માસથી નોકરીએ આવવાનું કર્યુ બંધ, કારણ છે ચોંકાવનારું
18 May, 2018
01:55 PM
PC: sardarsarovardam.org
(પ્રશાંત દયાળ)
થોડા વર્ષ પૂર્વે ઉત્તર પ્રદેશના એક IGP માનવા લાગ્યા હતા કે તેઓ ભગવાન કૃષ્ણની રાધા છે અને તે પોલીસ અધિકારી હોવા છતાં રાધા જેવા વસ્ત્રો પહેરવા લાગ્યા હતા, આવી જ ઘટના વડોદરાના સરોવર નિગમમાં ફરજ બજાવતા ઈજનેર રમેશચંદ્ર ફેફરની થઈ ગઈ છે, તેઓ પણ માનવા લાગ્યા છે કે તેઓ ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર છે, જેના કારણે તેમણે ઓફિસમાં આવવાનું બંધ કરી દીધુ છે, જ્યારે સરદાર સરોવરના કમિશનર દ્વારા ફરજ ઉપર ગેરહાજર રહેવા માટે તેમને નોટીસ આપી તો ફેફરને તેના વળતા જવાબમાં તેઓ કલ્કી અવતાર હોવાનું જણાવી વૈશ્ચિક ચેતના અને વરસાદ માટે સાધના કરતા હોવાનું જણાવી ઓફિસમાં તેઓ ભૌતિક રીતે હાજર રહી શકશે નહીં તેવો જવાબ આપ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp