26th January selfie contest

આ યોજના પ્રમુખસ્વામી નગર તરીકે ઓળખાશે, AMCએ લીધો નિર્ણય

PC: twitter.com

સાયન્સ સિટી ખાતેની આવાસ યોજનાનું નામ પ્રમુખસ્વામી નગર AMC દ્વારા આપવામાં આવ્યું છે. આ નિર્ણયને સ્થાયી સમિતિએ મંજૂરી આપી દીધી છે જેથી હવે તે પ્રમુખસ્વામી નગર તરીકે ઓળખાશે.

અમદાવાદમાં તાજેતરમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું સમાપન થયું છે. મહોત્સવના અંતે મળેલી બેઠકમાં સ્થાયી સમિતિ દ્વારા આ નિર્ણય લેવાયો હતો. શહેરમાં તાજેતરમાં જ યોજાયેયા મહોત્સવ રાજ્ય અને દેશમાંથી લોકો આવ્યા હતા અને મોટી છાપ છોડી છે ત્યારે આ મહોત્સવની યાદમાં સાયન્સ સિટીમાં આવાસ યોજનાનું નામ પ્રમુખસ્વામી મહારાજ આવાસ યોજના રાખવામાં આવ્યું છે.

ભાડજ સર્કલ અને ઓગમજ સર્કલ વચ્ચે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ યોજાયો હતો જ્યાં એક્ઝિબિશન હોલ સહિત વિવિધ શો યોજાયા હતા. આ સાથે ગ્લો ગાર્ડન પણ બનાવવામાં આવ્યો છે. આ નગરમાં લાખો લોકોએ દર્શનનો લાભ લીધો હતો.

સાયન્સ સિટીમાં આવાસ યોજનામાં લગભગ 1000 ફ્લેટ છે જે હવે આ નામથી ઓળખાશે. આ આવાસ યોજનાના મકાનો શતાબ્દી મહોત્સવમાં કામ કરતા સેવકોને આપવામાં આવ્યા હતા. ત્યારે હવે એક સ્મૃતિરુપે રહે તે માટે આ નિર્ણય કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp