પતિ પોતાની પત્નીને સાસરિયામાં સૂવાની જગ્યા ન હોવાથી પિયર મૂકી આવ્યો

PC: lifeskillssouthflorida.com

ઘણીવાર સાસરીયાઓ દ્વારા પરિણીતાને કરિયાવર ન લાવી હોવાના મહેણા મારીને શારીરિક અને માનસિક ત્રાસ આપીને ઘરની બહાર કાઢી મૂકવામાં છે. ત્યારે અમદાવાદમાં એક પતિએ તેની પત્નીને ઘરમાં સુવા માટે જગ્યા ન હોવાનું કહીને તેના પિયર મૂકી આવ્યો હતો પરિણીતાને પિયરમાં બે મહિનાઓ થઈ ગયા હોવા છતાં પણ લેવ ન આવતા પરિણીતાએ સમગ્ર મામલે સાસરિયાઓ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

એક રિપોર્ટ અનુસાર અમદાવાદમાં રહેતી એક યુવતીના લગ્નના થયા પછીના ચારથી પાંચ મહિનાના સમય પછી પતિએ પરિણીતાને ઘરમાં સુવામાં અગવડતા પડતી હોવાનું કહીને તેને પિયર મૂકી આવ્યો હતો. જો કે, પાંચ દિવસ પછી પતિ પરિણીતાને પિયરથી લઇ ગયો હતો અને ફરીથી 15 દિવસમાં બાદ પિયરમાં મૂકી ગયો હતો. બીજી વાર મૂકી ગયો ત્યારે બે મહિના પછી લેવા આવાનું કહી કહ્યું હતું.

બે મહિનાઓ થયા પછી પણ પતિ લેવા ન આવતા પરિણીતાએ પતિને ફોન કર્યો હતો ત્યારે પતિએ અલગ-અલગ વાયદાઓ આપ્યા અને અન્ય ઘરની વ્યવસ્થા થયા પછી લઇ જવાનું કહ્યું હતું. જો કે, છેલ્લે પતિએ પત્નીને કરિયાવર લાવી નહોવાનું કહીને 50 હજાર રૂપિયા લાવીશ તો જ સાસરીયામાં સુવાની જગ્યા મળશે તેવું જણાવ્યું હતું.

પતિની અને સાસરીયાઓના આ પ્રકારના વર્તનથી કંટાળેલી પરિણીતાએ સમગ્ર મામલે અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પરિણીતાની ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp