લોકડાઉન વચ્ચે ગુજરાત સરકારે ડેરીને લગતી કામગીરી બાબતે આપી મોટી છૂટ

PC: youtube.com

દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના વધારે ન ફેલાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ હતું. લોકડાઉનના ત્રણ તબક્કા એટલે કે, બે મહિનાના સમય દરમિયાન રાજ્યમાં મોટા ભાગના ધંધા ઉદ્યોગો બંધ હોવાના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી થઈ હતી. જો કે, ગુજરાતમાં રહેતા શ્રમિકોના ધંધા-ઉદ્યોગ બંધ હોવાના કારણે તેમને વતન જવાની પણ માગણી કરી હતી. તેથી રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોને તેમના વતન મોકલી આપવામાં આવ્યા છે. તો બીજી તરફ લોકડાઉનના ચોથા તબક્કામાં રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને ઘણી રાહત આપવામાં આવી છે. જેમાં નોન કન્ટેન્ટમેન્ટ ઝોનની બહાર આવતા ધંધા-ઉદ્યોગ દુકાનો ઓફિસો ખોલવા માટે રાજ્ય સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. તો બીજી તરફ સાંજના 7 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી કર્ફયુનું પાલન કરવા માટે રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારે હવે ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા ડેરીને લગતી કામગીરી માટે એક મોટી છૂટછાટ આપવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા લોકડાઉનના ચોથા તબક્કામાં ડેરી ઉદ્યોગને લઈને એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં દૂધ એકત્રીકરણ અને ડેરીને સંલગ્ન કામગીરી સવારના 7 વાગ્યાથી લઇ સાંજના 7 વાગ્યા સુધી કરવા માટે આદેશ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ડેરીના સમયમાં છૂટછાટ આપવામાં આવતા પશુપાલન સાથે સંકળાયેલા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

કોરોના વાયરસના કારણે આપવામાં આવેલા લોકડાઉનના કારણે દેશની અર્થવ્યવસ્થાને મોટું નુકસાન થયું છે. રાજ્યની આર્થિક વ્યવસ્થાને પણ હજારો કરોડનું નુકસાન થયું છે. ગુજરાતની અર્થવ્યવસ્થા ફરીથી પાટા પર લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનના ચોથા તબક્કામાં ધંધા-રોજગાર શરૂ કરવા માટેની છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે ડેરી ઉદ્યોગને પણ છૂટછાટ આપવા બાબતે પશુપાલકો દ્વારા સરકારને સમયમાં છૂટછાટ આપવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. જેથી રાજ્ય સરકાર દ્વારા પશુપાલકોની રજૂઆતને ધ્યાનમાં લઈને સવારના 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી દૂધ એકત્રીકરણ અને ડેરીને સલગ્ન કામગીરી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના કારણે કેટલીક જગ્યાઓ પર ડેરી દ્વારા પશુપાલકોના દૂધ પણ લેવામાં આવતા નહોતા. જેથી પશુપાલકો રોષે ભરાઈને તેમના દૂધ પશુઓને પીવડાવી અથવા તો રસ્તા પર ઢોળીને લોકડાઉનમાં વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp