સોનાના દાગીના ખરીદતા પહેલા શું ધ્યાન રાખવું? 22 કેરેટ બોલીને 18 ન પધરાવી દે...

PC: Khabarchhe.com

સુરત, 11 ડિસેમ્બર: જવેલરી ખરીદતા પહેલા જવેલર્સની પસંદગી કરવી ખુબ જરૂરી છે! સોનાના દાગીના ખરીદતી વખતે ત્રણ પ્રકારના ભાવોની ચકાસણી કરો-સોનાનો ભાવ (કેરેટ પ્રમાણે) -જડતરમાં વપરાતા સ્ટોન, માણેક, કુંદન વગેરેનો ભાવ, -ઘડામણનો ભાવ આ ત્રણે પ્રકારના ભાવની યોગ્ય ચકાસણી કરો.

જયારે ઘરેણા ખરીદો છો ત્યારે સોનાનો જે ભાવ આપો છે, એ કેટલા કેરેટ પ્રમાણેનો છે એ ચકાસી એનું સર્ટિફિકેટ મેળવો. જયારે તમે દાગીના પરત આપશો ત્યારે સોનાના યોગ્ય કેરેટ પ્રમાણે જ ભાવ મળશે. રર કેરેટનો ભાવ ચુકવીને ૧૮ કેરેટ તો નથી ખરીદી રહયાને? સ્ટાનડર્ડ ભાવ પ્રમાણે ઘરેણા ખરીદવા ખૂબ જરૂરી છે. લોભામણી સ્કીમો કે જેમા ઘડામણ ફ્રી વગેરે થી ભરમાશો નહીં. છુપા ચાર્જીસ તથા સોનાના યોગ્ય કેરેટની ચકાસણી ખૂબ જરૂરી છે. ૨૪ કેરેટ સોનાના ભાવની પડતર કિંમત એક સરખી જ હોઈ છે તો પછી રર કેરેટના સોનાના ભાવ, દુકાને દુકાને અલગ કેમ છે? આ વસ્તુની ચકાસણી અત્યંત જરૂરી છે.

જયારે આપ રર કે ૧૮ કેરેટના દાગીના ખરીદો છો, ત્યારે સોનાના મુલ્ય ઉપરાંત સ્ટોન, જડતરનું વજન પુરેપૂરું બાદ મળે છે? સોનાના ભાવમાં ડિસ્કાઉન્ટ હોતું નથી, ઓછા ભાવે સોનું આપનારા જવેલર્સ અન્ય પ્રકારે તમારી પાસે વધારે ચાર્જ વસૂલ કરી લે છે. સોનાના ઓછા ભાવનો દાવો કરતા જવેલર્સને ત્યાં ૧૦ ગ્રામ દાગીનાનો ઘડામણ ખર્ચ અને અન્ય ચાર્જની સરખામણી પ્રતિષ્ઠિત જવેલર્સ સાથે કરવી જરૂરી છે.

ઓછા ભાવે સોનું વેચતા જવેલર્સ, આપનું પરત આપેલ સોનું પણ ઓછા ભાવથી જ ખરીદશે. સોનાના દાગીના ખરીદતા પહેલા તમારા જવેલર્સ પાસેથી બાંહેધરી લો, પરત વેચાણ કે એકસચેન્જ કરતી વખતે કયા ભાવે ખરીદશો? તમારા જવેલર્સ ને પૂછો – ૨૨ કેરેટનો જે ભાવ ઓફર થઈ રહ્યો છે એ ભાવે ગણતરી કરી ૨૪ કેરેટનો જે ભાવ થાય એ ભાવથી જ સોનું આપશો? બીજો સવાલ – રર કેરેટ નો જે ભાવ ઘરેણા માટે ઓફર કરો છો, એ ભાવે ફક્ત રર કેરેટ સોનું આપશો?
સોનાના ઘરેણા ત્યાંથી જ ખરીદો જયાં સ્ટાન્ડર્ડ ભાવની નિતિ ચાલતી હોય.

73 વર્ષો વીરચંદ ગોવનજી (VG) Jewellers વલસાડ, વાપી અને સુરતના શોરૂમ દ્વારા શુદ્ધ સોનાનો, શ્રેષ્ઠ કારીગરીનો, સંપૂર્ણ પારદર્શિતા અને સાચા હીરાનો વિશ્વાસ જ તેમના દરેક ગ્રાહકોને હીરા અને સોનાના આભુષણો ખરીદવા માટેની એક વિશ્વાસ પાત્ર અને શ્રેષ્ઠ પસંદગી બનાવે છે. સોનાના દાગીના એ વર્ષોથી ચાલી આવેલી પરંપરા છે. સોનાના ભાવો જયારે આસમાન ને આંબી રહયા છે ત્યારે સોનું સામાજીક સુરક્ષા, દિકરીની સુરક્ષા અને સામાજીક મોભો આપે છે. એટલે જ જવેલરી ખરીદતા પહેલા જવેલર્સની પસંદગી કરવી ખુબ જરૂરી છે! વિશ્વાસ વર્ષો વર્ષનો, વિશ્વાસ વી.જી નો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp