જયંતિ ભાનુશાળી કેસમાં અમેરીકામાં રહેલા છબીલ પટેલે ઓડિયો જાહેર કરી શું કહ્યું?

ભાજપના બે નેતાઓની લડાઈને રોકવામાં નિષ્ફળ ગયેલી ભાજપની પ્રદેશ નેતાગીરીને કારણે જયંતિ ભાનુશાળીની એક મહિના પહેલા ટ્રેનમાં હત્યા થઈ ચૂકી હતી. આ મામલે ભાનુશાળીના પરિવાર દ્વારા શંકા અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ અને મનિષા ગોસ્વામી સહિત તેમના સાગરિતો તરફ વ્યક્ત કરી હતી. આ મામલે તપાસ કરી રહેલા ખાસ તપાસ પંચે પણ હત્યા છબીલ પટેલ અને મનિષાએ કરાવી હોવાનો ઘટસ્ફોટ કરી આ મામલે બે આરોપીની ધરપકડ કરી હતી. જો કે પોલીસની તપાસ તેના કરતા આગળ વધી ન હતી. આ દરમિયાન અમને મળેલી એક ઓડિયો ક્લીપમાં છબીલ પટેલ જયંતિ ભાનુશાળીની હત્યા સાથે પોતાનો કોઈ પ્રકારનો સંબંધ હોવાની વાત નકારી રહ્યા છે.

છબીલ પટેલે ઓડિયો ક્લીપમાં દાવો કર્યો છે કે તેઓ અમેરીકા ધંધાના કામે આવ્યા ત્યાર બાદ જયંતિ ભાનુશાળીની હત્યા થઈ હતી પણ તેમને જાણકારી મળી કે ફરિયાદમાં તેમના નામનો ઉલ્લેખ છે. આ એક તેમની સામેનું કાવતરું હોવાનું તેઓ માની રહ્યા છે. છબીલ પટેલે ગુજરાત પોલીસમાં પોતાને વિશ્વાસ હોવાનો દાવો કરતાં જણાવ્યું છે કે તેઓ તેમની બિઝનેસ મીટિંગ પૂરી થતા ભારત પાછા ફરી પોલીસ સામે હાજર થઈ પોલીસની તપાસમાં પૂરતો સહકાર આપશે પણ તેઓ ભારત પાછા ફરે ત્યારે તેમના જીવનો જોખમ હોવાને કારણે તેમને પોલીસ દ્વારા રક્ષણ પૂરું પાડવામાં આવે તેવી તેમની માગણી છે.

અમને મળેલી ઓડિયો ક્લીપ છબીલ પટેલની જ છે તેવું ઓડિયો ક્લીપ સાંભળતા લાગી રહ્યું છે પરંતુ અમે તેની સત્યતા માટે કોઈ દાવો કરતા નથી. તમે પણ સાંભળો આ ઓડીયો ક્લીપ.

(પ્રશાંત દયાળ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp