ગુજરાતથી મહાકુંભ જવું હોય તો તમારી પાસે કયા વિકલ્પ છે?
પ્રયાગરાજમાં મહાકુંભને હજુ 28 દિવસ બાકી છે અને જો તમારે ગુજરાતથી મહાકુંભ જવું હોય તો ટ્રેન, બસ, ખાનગી વાહન કે ફલાઇટનો વિકલ્પ છે.પણ અત્યારે શું સ્થિતિ છે તેના વિશે જાણકારી આપીશું.
ટ્રેનમાં ફેબ્રુઆરીના અંત સુધી બુકીંગ ફુલ છે અને વેઇટીંગમાં લાંબી લાઇન છે. ટ્રેનોમાં અત્યારે ભારે ભીડ જોવા મળી રહી છે.ગુજરાત સરકારે 27 જાન્યુઆરી દરરોજ એક વોલ્વો બસ શરૂ કરી છે જે અમદાવાદના ગીતા મંદિરથી સવારે 7 વાગ્યે ઉપડે છે. જેનું આવવા જવાનું ભાડું 8100 રૂપિયા છે. ઓનલાઇન બુકીંગ કરી શકાય છે.
ખાનગી ટ્રાવેલર્સ વ્યકિત દીઠ 12000થી 15000 વસુલી રહ્યા છે. જો તમારે ટેમ્પો ટ્રાવેલર બુક કરાવવી હોય તો કિલોમીટરે 37 રૂપિયા લેવામાં આવે છે અને પ્રયાગરાજ આવવા જવાના 3,000 કિ.મી થાય છે.
અમદાવાદથી 2 ફલાઇટ છે એક અમદાવાદ-પ્રયાગરાજ અને બીજી પ્રયાગરાજ-અમદાવાદ જેનું 35000 રૂપિયા ભાડું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp