જયંતિ ભાનુશાળીને ખરેખર ગોળી કોણે મારી હતી?

PC: news18.com

ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની ટ્રેનમાં થયેલી હત્યાનો ભેદ એક સપ્તાહ બાદ પણ ઉકેલાયો નથી. પોલીસે હત્યાકાંડમાં સંડોવાયેલા તમામ શકમંદોની અટકાયત કરી લીધી છે. આમ પોલીસ આ મામલે કંઇ બોલવા તૈયાર નથી. ટોચના સૂત્રોની જાણકારી પ્રમાણે પોલીસ અટકાયત હેઠળ રહેલા આરોપીઓ પાસેથી ઘણી જ મહત્ત્વની જાણકારી પોલીસને મળી છે. પરંતુ જેઓ અટકાયત હેઠળ છે તેવા મનીષાના ખાસ ભાઉ નામની વ્યક્તિએ પૂનાથી બે શાર્પ શૂટર મંગાવ્યા હતા, જેમણે ભાનુશાળીને ગોળી મારી હતી. હજી સુધી આ શાર્પ શૂટર સુધી પોલીસ પહોંચી શકી નથી.

મનીષા સાથે સમાધાન બાદ જયંતિ ભાનુશાળી નક્કી થયેલી રકમ આપવાનો ઇનકાર કરી દેતા મનીષા દ્વારા આ હત્યાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જો કે મનીષા સાથે સતત રહેતા સુરજીત અને શેખર ભાનુશાળીના પણ પરિચિત હોવાને કારણે સુરજીત દ્વારા પૂનાથી શૂટરો મંગાવવામાં આવ્યા હતા જેઓ ગોળી મારી ફરાર થઈ ગયા હતા.

પોલીસ માટે હાલમાં સૌથી વધુ ચિંતાનો વિષય હત્યારાને પકડવાનો નથી, પરંતુ ભાનુશાળી પાસે રહેલા સેક્સ વીડિયો છે કારણ કે વીડિયો જાહેર થઈ જાય તો ગુજરાત અને દેશના અનેક નેતાઓની જિંદગી બરબાદ થઈ શકે તેમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp