યેદીયુરપ્પાએ કર્ણાટક રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામો મંગળવારે આવ્યા બાદ ભારે રાજકીય ઉથલપાથલો સર્જોઈ રહી છે. કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ ભાજપના નેતા યેદુયિરપ્પાને સરકાર રચવાનું નિમંત્રણ આપ્યા બાદ કોંગ્રેસે બુધવારે અડધી રાત્રે સુપ્રીમ કોર્ટના દરવાજો ખટખટાવ્યો છે. ગુરુવારે સવારે યેદુયિરપ્પા મુખ્યમંત્રી પદની શપથ ગ્રહણ કરે તે પહેલાં કોંગ્રેસે રાજ્યપાલના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો છે.
ભાજપ પાસે 104 ધારાસભ્યો છે. બહુમતી માટે 112 ધારાસભ્યોની જરૂરિયાત છે. ભાજપને હજુ આઠ ધારાસભ્યો ખૂટી રહ્યા છે. કોંગ્રેસ પાસે 78 અને જનતા દળ-એસ પાસે 38 ધારાસભ્યો છે. આમ બહુમતીના મામલે કોંગ્રેસે રાજ્યપાલના નિર્ણયને પડાકાર્યો છે અને શપથવિધિ અટકાવાની માંગ કરી છે.
કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવી ચીફ જસ્ટીસના નિવાસે પહોંચ્યા
ચીફ જસ્ટીસ એકલા નહીં કરી શકે સુનાવણી, વધુ એક જજની જરૂરિયાત
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp