કેન્દ્રીયમંત્રીએ કહ્યુ-‘PM મોદીના પત્નીની ચિંતા ન કરે માયાવતી, પોતે કરી લે લગ્ન’

PC: dnaindia.com

વારાસણીમાં PM મોદી માટે ચૂંટણી પ્રચાર કરી રહેલા NDA સહયોગી અને મોદી સરકારમાં મંત્રી રામદાસ આઠવલેએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતી પર હુમલો કર્યો હતો. રામદાસ આઠવલેએ PM મોદીની પત્નીને લઇને માયાવતી દ્વારા આપવામાં આવેલા નિવેદનની ટીકા કરી હતી અને રામદાસ આઠવલેએ કહ્યું હતું કે, માયાવતીને PM નરેન્દ્ર મોદીની પત્નીની ચિંતા કરવાની જગ્યાએ પોતે લગ્ન કરી લેવા જોઇએ.

આ સાથે જ રામદાસ આઠવલેએ મહાગઠબંધન અને અખિલેશ યાદવ પર પણ નિશાનો સાધ્યો હતો અને કહ્યું હતું કે, અખિલેશ યાદવને એ નહીં દેખાય, પરંતુ સમગ્ર દેશને, દેશની જનતાને નરેન્દ્ર મોદી એકવાર ફરી પ્રધાનમંત્રીના રૂપમાં દેખાશે.

ઉલ્લેખનીય છે કે, બસપા પ્રમુખ માયાવતીએ થોડા દિવસ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન પર શાબ્દિક હુમલો કર્યો હતો. દેશના PM કોણ બનશે હવે તેને લઇને ગણતરીના દિવસો બાકી છે. છેલ્લા તબક્કા માટેનો ચૂંટણી પ્રચાર પણ બંધ થઇ ગયો છે, ત્યારે હવે 19 તારીખે છેલ્લા તબક્કા માટે મતદાન થશે અને 23 મેના રોજ દેશની જનતાનો ફેસલો ખબર પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp