PM મોદી પર વિવાદીત નિવેદન આપનાર મણીશંકર ઐય્યર હવે પત્રકારો પર વિફર્યા

PC: ndtv.com

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણીશંકર ઐય્યર ફરી એકવાર ફરી ગુસ્સે થયા. પત્રકારોએ તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે પ્રશ્નો પૂછ્યા તો તેઓ તેમના પર ગુસ્સે થયા હતા. તેમણે પત્રકારને પોતાનો મુઠ્ઠીબંધ હાથ બતાવીને કહ્યું કે, હું તમને મારી નાંખીશ. મે 2017 માં, ઐય્યરે મોદીને 'નીચ વ્યક્તિ' ગણાવી હતી. 14મી મેએ, ઐય્યરે કહ્યું કે હું હવે તે નિવેદન પર કાયમ છું. મને આ અંગે દલીલ કરવાની ઇચ્છા નથી.

પત્રકારના પ્રશ્ન પર ઐય્યરે કહ્યું, 'ભારતમાં ફક્ત એક જ વ્યક્તિ છે, તમે તેના તીવ્ર હુમલાઓ જોઈ શકતા નથી, તેમને પૂછો. તેઓ તમારી સાથે વાત કરતા નથી કારણ કે તેઓ ડરપોક છે. આ પછી ઐય્યરે કહ્યું હતું કે, હવે તમે મને પ્રશ્ન કરી શકતા નથી. પત્રકારે ઐય્યરને વિનંતી કરી કે તે ગુસ્સે ન થાય. ઐય્યર જઈને પત્રકારને અપશબ્દો પણ કહ્યાં હતા.

એક અંગ્રેજી અખબારના પત્રકાર સાથે વાત કરતા, ઐય્યરે કહ્યું હતું કે, 'મેં લેખમાં એક લાઇન લખી હતી. મીડિયામાં ફસાઈ જશો નહીં. હું મુર્ખ છું, પણ હું એટલો મોટો મુર્ખ નથી. તમે મધમાખી જેવા છો, જ્યાં તમને થોડું મધ મળે છે. આજે મને બરબાદ કરીને આવતીકાલે બીજાં કેટલાક ફૂલ પર પહોંચી જશો.

ઉલ્લેખનીય છે કે, મણીશંકર ઐય્યરે વડાપ્રધાન મોદી પર આપેલા નિવેદન પર કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું હતું કે, તેમનું વ્યક્તિગત નિવેદન છે અને કોંગ્રેસ પક્ષને લેવા દેવા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp