એલોવેરાની પણ આડઅસર થઇ શકે છે, આ રીતે હાનિકારક તત્વ દૂર કરી શકાય

PC: jagran.com

 

કુંવારપાઠા-એલોવેરાનું વાવેતર અને વપરાશ ગુજરાતમાં વધી ગયો છે. ખેડૂતો પોતે જ કુંવારપાઠામાંથી રસ કે જેલ તૈયાર કરીને 3 ગણી કમાણી કરી શકે છે. કુંવારપાઠામાં પીળો રંગ ધરાવતો ચીકણો પદાર્થ જે એલોઈન કહે છે તે નિકળે છે. એલોઈન ઓછું કરવું જરૂરી છે. કારણ કે તે નુકસાનકારક છે. એલોઈનને દૂર કરવા માટે નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના પી.એચ.ટી. વિભાગના કૃષિ વિજ્ઞાનીઓએ અનેક પ્રયોગો કરીને સરળ ટેકનિકલ પદ્ધતિ શોધી છે. જે ખેડૂતો અને એલોવેરાના રસના કે જેલના ઉત્પાદકો માટે કામ આવે તેવી છે. ઘરે રસ બનાવવા માટે તે એકદમ સરળ છે. આ પદ્ધતિનો ઉપયોગ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. ગાંધીનગરના કૃષિ નિયામક દ્વારા આ ટેકનિકનો બધાને ઉપયોગ કરવા ભલામણ કરી છે.

 નવી ટેકનોલોજી

એલોવેરાના એલોઈન તત્વને દૂર કરવાની આ ટેકનોલોજીમાં 1.5 ટકા સોયાબીનની લુગદીમાં છાલ કાઢેલા કુંવારપાઠાની જેલને 6 કલાક સુધી રાખીને તેનો રસ કાઢીને બોટલમાં ભરીને 30 મિનિટ સુધી 96 સેન્ટીગ્રેડ ગરમ કરવામાં આવે છે. ત્યારબાદ તેને તુરંત ઠંડુ પાડી દેવામાં આવે છે. આમ કરવાથી તેમાં રહેલા એલોઈન તત્વની માત્રા 69.7 ટકા સુધી ઘટી જાય છે. જેમાં જ્યુસની માત્રા 52.94 ટકા જોવા મળે છે.

ગળ્યું જ્યુસની નવી પદ્ધતિ

રસ બનાવવા ઉપરાંત તે રસમાંથી નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા કુંવારપાઠાનું ગળ્યું જ્યુસ બનાવવા માટે એક નવી પદ્ધતિ પણ તૈયાર કરી છે. એલોઈન દૂર કરેલા રસમાં 12ં બ્રિક્સ ટી.એસ.એસ. અને 0.25 ટકા એટીડીટી જાળવ્યા બાદ 96સેન્ટીગ્રેડ તાપમાને 30 મીનીટ નિર્જીવીકરણ કરવાથી સ્વીકાર્ય ગુણવત્તાના માપદંડ 6 માસ સુધી 37 અંશ સેન્ટીગ્રેડ તાપમાને જાળવી શકાય છે.

જોકે, હાલના ઉત્પાદકો એલોવેરામાંથી એલોઈન તત્વ ઓછું કરે છે કે કેમ તે એક મોટો સવાલ છે. એલોઈન અનેક રીતે નુકસાન કરે છે.

 એલોઈન શા માટે દૂર કરવું જોઈએ

કુંવારપાઠામાં પીળો, કડવો, પીળો-ભુરો મિશ્રિત રંગમાં હોય છે. જેને એલોઈન તત્વ કહે છે. જે સુકા પાંદડામાં 0.1 થી 6.6% હોય છે. તેનો ઉપયોગ એક ઉત્તેજક-રેચક તરીકે થાય છે. જે આંતરડાની ગતિને ઉત્તેજિત કરીને કબજિયાતની સારવાર કરે છે. જેને સામાન્ય રીતે કુંવાર લેટેક્સ તરીકે ઓળખવામાં આવે છે. પાનની નીચે અને જેલની વચ્ચે હોય છે. તેનો ઉપયોગ આલ્કોહોલિક પીણામાં કડવા એજન્ટ તરીકે થાય છે. મે 2002થી યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનએ કુંવાર રેચકને સલામત ગણી નથી. કુંવારવાળા ઉત્પાદનો હવે વધુ પડતા પીળા પદાર્થ સાથે ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રતિબંધીત છે. જે  કાર્સિનોજેનિક હોઈ શકે છે.

વધારે માત્રાથી ઇલેક્ટ્રોલાઇટ અસંતુલન, ઝાડા અને પેટમાં દુખાવો થઈ શકે છે. એલોઇન સંભવિત રીતે ગર્ભાશયના સંકોચનનું કારણ બની શકે છે. સગર્ભા સ્ત્રીઓએ ટ્રેસની માત્રા કરતા વધુમાં એલોઇન ધરાવતા કુંવાર ઉત્પાદનોને લેવાનું ટાળવું જોઈએ.

 ઉંદરો પરના પ્રયોગોથી એલોઇનથી જેલને અલગ પાડ્યા વિના નોંધપાત્ર રીતે નકારાત્મક સ્વાસ્થ્ય અસરો જોવા મળી હતી. જેમાં નોર્મોસાયટીક નોર્મોક્રોમિક એનિમિયા, હાઇપોપ્રોટેનેમિયા અને ઉચ્ચ એએસટી સ્તરનો સમાવેશ થાય છે. કુંવાર જેલ સાથે સંકળાયેલા ઘણા અભ્યાસોમાં એલોવેરા નુકસાન કરતું નથી પણ તેમાં રહેલા એલોઇનની નકારાત્મક અસરો જોવા મળી છે. એલોવેરા જેલનો વધુ પડતો ઉપયોગ ત્વચા પર ફોલ્લીઓ, ખંજવાળ, લાલાશ, એલર્જી, ડીહાઈડ્રેશન, ચરબી ઘટાડવા સામે નુકસાન, શરિરમાં પોટેસ્યમ વધતા શરીરમાં નબળાઈ, ધબકારા અનિયમીત, ઓછું બ્લ઼પ્રેશર,   પેદા કરી શકે છે.

કુંવાર લેટેક્સ, જે એલોવેરાના પાનના ભાગ છે, તે ગેસ્ટ્રોઇંટેસ્ટીનલ સમસ્યાઓ, પેટમાં દુખાવો, અલ્સર, આંતરડામાં અવરોધ અને એપેન્ડિસાઈટિસનું કારણ બની શકે છે. જો તમે મોટી માત્રામાં પીતા હોવ તો તે જોખમી સાબિત થઈ શકે છે. મહિલાઓને બાળકોમાં જન્મજાત ખામી, કસુવાવડ,  શ્વાસ લેવામાં તકલીફ, શિળસ, છાતીમાં જડતા, મોઢામાં કે ગળામાં બળતરા થઈ શકે છે. આંતરડા સિંડ્રોમ અથવા જઠરાંત્રિય હોય એલોવેરા ન લેવાય. પેલ્વિસમાં એકઠા થવાથી કિડની પર અસર કરી શકે છે.

 એલોઈનનો ફાયદો

આલોઇન કોલોનમાં પેરીસ્ટાલિટીક સંકોચનને વધારે છે, જે આંતરડાની ગતિ વધારે છે.આંતરડાની જઠરાંત્રિય માર્ગના કોલોનને ફરીથી શોષી લેતા અટકાવે છે. જે નરમ સ્ટૂલ માટે ઉપયોગી છે. પટલની ક્લોરાઇડ ચેનલો ખોલવાના કારણે થાય છે. વળી દારુમાં કડવો સ્વાદ લેવા માટે તેનો ઉપયોગ થાય છે.

 એલોવેરા રસ ફાયદા

મેકઅપ દૂર કરવા, એન્ટી એજિંગ - એન્ટીઓકિસડન્ટો ચહેરા પરથી કરચલીઓ દૂર કરે,  ત્વચા યુવાન અને સુંદર રહેશે, ચામડીની અનેક સમસ્યા, ડાઘ, પિમ્પલ્સ, કાપ, સૂર્ય બર્ન અને ચામડીની કરચલીઓ, ત્વચા પરથી ગંદકી અને મૃત કોષોને સાફ કરે, એન્ટિ-માઇક્રોબાયલ ગુણધર્મો છે,  ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે, ત્વચાને પોષણ, વાળને ફાયદો,  ફેસ પેક, સનબર્ન દૂર કરે, બળતરા, જંતુના કરડવાથી અને ચકામામાં પણ રાહત પૂરી પાડે છે. શેવ લોશન, વેક્સિંગ પછી,  ઉત્તમ કંડિશનર, વાળને રેશમી બનાવે, ખોપરી ઉપરની ચામડીનું પીએચ 5.5 છે. જ્યારે આ સંતુલન ગડબડ થાય છે ત્યારે વાળની સમસ્યાઓ શરૂ થાય છે. શેમ્પૂમાં સરફેક્ટન્ટ્સ ક્ષારયુક્ત છે, માથાની ચામડીનો સામાન્ય પીએચ બદલી શકે છે. જે એલોવેરા દૂર કરે છે. ખોડો, એન્ટિ માઇક્રોબાયલ ગુણધર્મો ઇન્ફ્રેક્શનને દૂર રાખે છે. પ્રતિરક્ષા ફિક્સ વધારે છે. કોઈ પણ વસ્તુનો અતિશય ઉપયોગ સારો નથી. આડઅસર થઈ શકે છે તેથી વૈદ્યની સલાહ લઈને જ વાપરવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp