બડગામ એનકાઉન્ટરમાં 2 આતંકી ઠાર, મોટી માત્રામાં હથિયાર અને દારૂગોળો જપ્ત કરાયો

PC: amarujala.com

બડગામ એનકાઉન્ટરમાં સૈન્યને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. તેમજ મુઠભેડના સ્થળ પરથી ભારે માત્રામાં હથિયાર અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે. અત્યારસુધી એનકાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકીઓની ઓળખ થઈ શકી નથી, તેમજ તેઓ કયા સંગઠન સાથે સંકળાયેલા હતા તે અંગે પણ હજુ કોઈ જાણકારી મળી નથી. હાલ, મામલાને દાખલ કરી લેવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે, બુધવારે વહેલી સવારે સુરક્ષાદળોને જમ્મુ-કાશ્મીરના બડગામ વિસ્તારમાં આતંકીઓ સંતાયા હોવાની સૂચના મળી હતી. ત્યારબાદ સેનાએ આખા વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતુ. આ દરમિયાન પોતાને ઘેરાયેલા જોઈ આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ. આ મુઠભેડ દરમિયાન સૈન્યએ 2 આતંકીઓને ઠાર માર્યા હતા. આ મુઠભેડ બડગામના ગોપાલપોરા વિસ્તારમાં થઈ હતી. દરમિયાન તણાવપૂર્ણ સ્થિતિ ન સર્જાય તે માટે સુરક્ષાના પગલાંરૂપે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, મંગળવારે પણ સુરક્ષાદળોએ દક્ષિણ કાશ્મીરના રત્નીપોરા પુલવામામાં મુઠભેડ દરમિયાન એક આતંરીને ઠાર કર્યો હતો. દરમિયાન એક પૈરા કમાંડો સહિત 2 પોલીસકર્મી પણ શહિદ થયા હતા, જ્યારે એક જવાન ઘાયલ થયો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp