પ્રયાગરાજમાં 20 કિ.મી લાંબો જામ, તંત્રનું પાછા ફરવા માટે લોકો પર દબાણ

PC: x.com

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં 29 જાન્યુઆરીએ નાસભાગની ઘટનામાં 30 લોકોના મોત પછી તંત્રએ હવે સંગમ તીર્થ પાસેનો 12 સ્કેવર મીટરનો વિસ્તાર ખાલી કરાવી દીધો છે. પ્રયાગરાજ નજીક આવેલા 8 જિલ્લાની સરહદોને સીલ કરી દેવામાં આવી છે અને હાઇવ પર 2.50 લાખ વાહનોનો ટ્રાફીક જામમાં ફસાયા છે.

વહીવટી તંત્ર લોકોને પાછા ફરી જવા દબાણ કરી રહ્યા છે, પરંતુ લોકો પાછા ફરવા માટે માનતા નથી. બધી બસોને દુરથી જ રોકી દેવામાં આવી રહી છે અને છતા લાકો 10-12 કિ.મી સુધી ચાલતા મહાકુંભમા સ્નાન કરવા માટે પહોંચી રહ્યા છે.

પ્રયાગરાજમાં જબરદસ્તી ઠંડી પડી રહી છે અને પુરતા શૌચાલયો પણ નથી જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. કેટલાંક લોકોએ હોટલમાં રહેવાની ફરજ પડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp