J&K: શોપિયામાં હિઝબુલના 3 આતંકી ઠાર, દેશના 2 જવાન પણ શહીદ

PC: dnaindia.com

કાશ્મીરમાં આતંકીઓ સાથેની ગોળીબારીમાં સેનાનું ઓપરેશન 18 કલાકથી ચાલુ છે. શનિવારે શોપિયા જિલ્લામાં આતંકીઓ ગોળીબારી ચાલુ થઈ હતી, જેમાં સુરક્ષાબળોએ 3 આતંકીઓને ઠાર કરી દીધા હતા. પરંતુ આ ઓપરેશનમાં 2 જવાન પણ શહીદ થયા હતાં, જ્યારે 3 જવાન ગંભીરરૂપે ઈજાગ્રસ્ત થયા હતા. શોપિયાના અવનીરા ગામમાં આ ગોળીબારી થઈ હતી. સ્થાનિક સ્તરે આ વિસ્તારને બગદાદના નામે પણ ઓળખવામાં આવે છે. આતંકીઓ હિઝમુલ મુજાહિદ્દિન સંગઠનના હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.