J&K: CRPFના કાફલા પર બોમ્બથી હુમલો, 8 જવાન શહીદ, 8 ઇજાગ્રસ્ત

PC: intoday.in

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એકવાર સુરક્ષાદળોને નિશાનો બનાવ્યા છે. પુલવામામાં અવંતીપોરાના ગોરીપોરા વિસ્તારમાં સુરક્ષાદળ પર જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠને હુમલો કર્યો. દરમિયાન IED ધડાકો થયો. આ ધડાકામાં 8 CRPFના જવાનો શહિદ થયા છે અને 8 જવાનો ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયા છે.

ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેની સાથે જ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યુ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે, સુરક્ષાદળોમાં CRPFની આશરે એક ડઝન ગાડીઓમાં 2500થી વધુ જવાનો સવાર હતા. આતંકીઓએ સુરક્ષાદળોની એક ગાડીને નિશાનો બનાવી હતી.

CRPFના સૂત્રોનું કહેવું છે કે, રસ્તા પર એક ફોર વ્હીલર વાહમાં IED લગાવવામાં આવ્યો હતો. કાર હાઇવે પર ઉભી હતી. જેવા સુરક્ષાકર્મીનો કાફલો કાર પાસેથી પસાર થયો, તેમાં બ્લાસ્ટ થઇ ગયો હતો. આ દરમિયાન કાફલા પર ફાયરિંગ થવાની પણ ખબર આવી છે. આ હુમલામાં 8 CRPF જવાનો શહીદ થયા હોવાની ખબર આવી રહી છે. આ સિવાય 8 જવાન ગંભીરરૂપે ઇજાગ્રસ્ત પણ થવાની ખબર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp