દિલ્હીમાં મતદાન કર્યા પછી સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું તેમણે કોને મત આપ્યો!

કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીમાં નવી સરકાર પસંદ કરવા માટે ચાલી રહેલા મતદાન વચ્ચે, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સુબ્રમણ્યમ સ્વામીની એક એક્સ પોસ્ટ પર વિવાદ ઉભો થયો છે. સુબ્રમણ્યમ સ્વામીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને માહિતી આપી કે, તેઓ સવારે 7 વાગ્યે તેમની પત્ની સાથે મતદાન મથક પર પહોંચ્યા અને મતદાન કર્યું. આ પોસ્ટમાં તેમણે એ પણ જણાવ્યું કે તેમણે કોને મત આપ્યો. ભૂતપૂર્વ ભારતીય વહીવટી સેવા અધિકારી KBS સિદ્ધુએ કહ્યું છે કે, તે મતદાન સંબંધિત નિયમોની વિરુદ્ધ છે.
સુબ્રમણ્યમ સ્વામીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમની એક પોસ્ટ મૂકી. તેમણે પોતાની પાછલી પોસ્ટમાં લખ્યું હતું કે તેઓ સવારે 7 વાગ્યે તેમની પત્ની સાથે મતદાન મથક પર પહોંચ્યા અને BJPને મત આપ્યો. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીએ એમ પણ લખ્યું કે, ચૂંટણી પંચે ચકાસણી અને કાર્યક્ષમતા સાથે મતદાનની વ્યવસ્થા કરી છે. તેમણે એમ પણ લખ્યું છે કે, હું દિલ્હીમાં આમ આદમી પાર્ટીને હરાવીને BJPની જીતની અપેક્ષા રાખું છું.
પંજાબના ભૂતપૂર્વ મુખ્ય સચિવ KBS સિદ્ધુએ સ્વામીની આ એક્સ પરની પોસ્ટ ફરીથી પોસ્ટ કરી અને તેને નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું. KBS સિદ્ધુએ કહ્યું છે કે, ચૂંટણી આચાર નિયમો, 1961ના નિયમ 39 હેઠળ, મતદારોને જાહેરમાં તેમની પસંદગી જાહેર કરવાની મનાઈ છે. મતદાનના દિવસે કોઈપણ જાહેર વ્યક્તિ આ રીતે પોતાનો મત જાહેર કરે છે, તે મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવા જેવું છે.
My wife and I went to voter Booth to cast our vote early morning 7 am, of course for BJP. I found the arrangement of Election Commission for casting our vote strict on scrutiny and efficiency. Of course I expect BJP to win in Delhi defeating AAP.
— Subramanian Swamy (@Swamy39) February 5, 2025
તેને આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન ગણાવતા તેમણે કહ્યું કે, મતદાનના દિવસે અને તેના એક દિવસ પહેલા 48 કલાકનો સાઇલેન્ટ પિરિયડ હોય છે અને આ સમયગાળા દરમિયાન, સોશિયલ મીડિયા સહિત પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મતદારોને પ્રભાવિત કરવાના પ્રયાસો પર સખત પ્રતિબંધ છે. મતદાનના દિવસે આવી પોસ્ટ્સ એ એક પ્રકારનું ઉલ્લંઘન છે.
KBS સિદ્ધુએ માત્ર નિયમો અને તેમની જોગવાઈઓનો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ કયા નિયમના ઉલ્લંઘન માટે શું સજા થઈ શકે છે તે પણ જણાવ્યું છે. તેમણે X પર જ લખ્યું છે કે, ગુપ્ત મતદાનના નિયમનું ઉલ્લંઘન કરવા પર કલમ 128 હેઠળ ત્રણ મહિનાની જેલ અથવા દંડ થઈ શકે છે. ચૂંટણી પંચે અગાઉ સાઇલેન્ટ પિરિયડ દરમિયાન મતદારોને પ્રભાવિત કરવા સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર કાર્યવાહી કરી છે. અન્ય રાજકીય પક્ષો અથવા સત્તાવાળાઓ પણ લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 129 અથવા IPCની કલમ 188 હેઠળ કેસ દાખલ કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp