
અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય જોર શોરથી ચાલી રહ્યું છે. રામ મંદિર નિર્માણ માટે રામભક્ત દિલ ખોલીને દાન આપી રહ્યા છે. તેના પુરાવા છે મંદિર નિર્માણ માટે આપવામાં આવતા રોકડ ફંડમાં પણ ભારે વધારો થયો છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના એક અધિકારીએ કહ્યું કે, જાન્યુઆરીની તુલનામાં હવે રોકડ ફંડમાં 3 ગણો વધારો થયો છે. રામ જન્મભૂમિ આવી રહેલા શ્રદ્ધાળુ ખૂબ રોકડ દાન કરી રહ્યા છે. એક વખત દાનપાત્રમાંથી કાઢનારી ધનરાશિની ગણતરી કરવામાં 15 દિવસ લાગે છે.
માત્ર 15 દિવસમાં જ દાનની રકમ 1 કરોડ રૂપિયા થઈ ગઈ છે. રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટના ઓફિસ ઇન્ચાર્જ પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું કે, દાનની ગણતરી જમા કરનારા બેંક અધિકારીઓએ રામ મંદિર ટ્રસ્ટને સૂચિત કર્યું કે, જાન્યુઆરી 2023થી દાન 3 ગણી વધી ગઈ છે. ટ્રસ્ટના બેંક ખાતામાં અકાઉન્ટિંગ અને કેશ ડિપોઝિટ કરવા માટે ભારતીય સ્ટેટ બેંકે વિશેષ રૂપે 2 અધિકારીઓની નિમણૂક કરી છે. એક રિપોર્ટ મુજબ, રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે, રામ મંદિરમાં આવનાર દાન ઝડપથી વધી રહી છે અને આવનાર સમયમાં તિરૂપતિ બાલાજીની જેમ વ્યવસ્થા જ રોકડની ગણતરી કરવાની વ્યવસ્થા કરવી પડશે.
श्री राम जन्मभूमि मंदिर निर्माण कार्य की वर्तमान स्थिति
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) December 15, 2022
Present status of Mandir construction at Shri Ram Janmabhoomi pic.twitter.com/7rNFHk38fF
બાલાજી મંદિરમાં સેકડો કર્મચારી રોજ દાન રૂપે આવનારી રકમની ગણતરી કરે છે. મંદિરના ગર્ભગૃહના પિલર 14 ફૂટ સુધી બનીને તૈયાર છે. પરકોટેનું મંદિર પણ ઝડપથી બનાવવામાં આવી રહ્યું છે. મંદિર નિર્માણનું પહેલું ચરણ 2023 સુધી પૂરું થશે. મંદિરનું બીજું ચરણ ડિસેમ્બર 2024માં, જ્યારે 2025 સુધી મંદિર પૂરી રીતે આકાર લઈ ચૂક્યું હશે, સામાન્ય ભક્તો માટે જાન્યુઆરી 2024માં મંદિરમાં દર્શન-પૂજન શરૂ થવાની આશા છે.
અત્યાર સુધી મંદિર નિર્માણમાં લગભગ 800 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ થઈ ચૂક્યો છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, મંદિરમાં કુલ 1800 કરોડ રૂપિયાનો ખર્ચ આવી શકે છે. મંદિર પરિક્રમા પથ તૈયાર કરવામાં આવી રહ્યો છે. નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ આ પથ પર ભક્ત પરિક્રમા કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp