પાકિસ્તાનની નાપાક હરકત: કુપવાડામાં યુદ્ધ વિરામનું ઉલ્લંઘન, 1 જવાન શહીદ
ભારત અને પાકિસ્તાનના સબંધોમાં કાયમ તણાવ જોવા મળે છે, ત્યારે જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના સુંદરબની સેક્ટરમાં સરહદ પાર પાકિસ્તાનથી સ્નાઈપર હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી મળી છે. આ હુમલામાં BSFનો એક જવાન શહીદ થયો હોવાના અને અન્ય એક ઘાયલ થયો હોવાના અહેવાલ મળ્યા છે.
આ અંગે મળતી માહિતી મુજબ, સરહદ નજીક આવેલા સુંદરબની વિસ્તારમાં ભારતીય સુરક્ષાદળની ફોરવર્ડ પોસ્ટો પર ગોળીબાર શરુ કર્યો હતો. જેનો જવાબ આપતા ભારતીય સેનાએ પણ વળતો ગોળીબાર કર્યો હતો, જેમાં ભારતનો એક જવાન શહીદ થયો છે, જેની ઓળખ પી. વિશ્વાસ તરીકે થઈ છે. આ ઉપરાંત મનસારામ નામનો એક જવાન ઈજાગ્રસ્ત થયો છે, જેના ઉધમપુર સ્થિત સેનાની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.
Jammu & Kashmir: In ceasefire violation by Pakistan in Sunderbani sector of Rajouri at around 4:30 pm today, two Border Security Force (BSF) jawans got injured. One jawan succumbed to injuries, the other jawan is being treated at hospital.
— ANI (@ANI) December 6, 2018
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp