એર ઈન્ડિયાનો 100 ટકા ભાગ વેચવાની તૈયારીમાં સરકાર

PC: moneycontrol.com

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં નવા નિયમો અને નિર્દેશનો હેઠળ એર ઈન્ડિયાના વેચાણનું આવેદન માંગી શકે છે. ગયા મહિને જ સરકારે સરકારી વિમાની કંપનીને વેચવા માટેના આવેદન મંગાવ્યા હતા પરંતુ તેને લઈને કરવામાં આવેલી શરતોને લીધે કોઈ ખરીદાર તૈયાર થયો ન હતો. તેને લઈને હવે નવા પ્રકારના ખાનગીકરણની પ્રક્રિયા તૈયાર કરવામાં આવશે. રિપોર્ટ પ્રમાણે, હવે સરકરા કંપનીનો 100 ટકા ભાગ વેચવાના મૂડમાં છે. છેલ્લી પ્રક્રિયામાં સરકાર પોતાની પાસે એર ઈન્ડિયાનો કેટલોક ભાગ રાખવાની શરત પર અડેલી હતી.

આર્થિક મામલના સચિવ સુભાષ ગર્ગે કહ્યું છે કે છેલ્લી વખત એક નિશ્ચિત રણનિતીનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેમાં કોઈએ રૂચિ બતાવી ન હતી. માટે આ વખતે કંઈક અલગ કરવામાં આવશે. આ વખતે જરૂરી નથી કે સરકાર 24 ટકની ભાગીદારી પોતાની પાસે રાખે. આ શરત પર ફરીથી વિચાર કરવામાં આવી શકે છે. જણાવી દઈએ કે એર ઈન્ડિયાના ખાનગીકરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વવાળી કેન્દ્ર સરકારની હાઈ પ્રોફાઈલ યોજના છે. આ સરકારી એરલાયન્સ આશરે 16 હજાર કરોડ રૂપિયાના દેવા હેઠળ ડૂબેલી છે. ભારતી સૌથી મોટી સ્થાનિક એરલાયન્સ ઈન્ડિગોએ શરૂમાં એર ઈન્ડિયાને ખરીદવામાં રૂચિ બતાવી હતી પરંતુ બાદમાં તેમણે હાથ ખેંચી લીધા હતા.

તેનું મોટું કારણ સરકાર દ્વારા એર ઈન્ડિયાના આંતરરાષ્ટ્રીય ઓપરેશનને અલગથી વેચવાનું ન હતું. એર ઈન્ડિયા ઘણા વર્ષોથી ખોટમાં ચાલી રહી છે અને તેને ચાલુ રાખવા માટે ઘણા બેલઆઉટ પેકેજ બહાર પાડવામાં આવ્યા છે, પરંતુ તેની હાલતમાં કોઈ સુધાર થયા નથી. તેને લઈને તેના ખાનગીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp